જૌનપુર તા 19 : કોંગ્રેસ ના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી એ આજે ઉત્તરપ્રદેશ ના જૌનપુર માં રેલી યોજી હતી જેમાં ભાજપ સરકાર ના નોટબંદી નિર્ણય ને લઇ ને આકરા પ્રહારો કર્યા હતા જેમાં તેમને ટિપ્પણી કરતા કહ્યું હતું કે નોટબંદી એ કાળાનાણાં કે ભ્રસ્ટાચાર ની વિરુદ્ધ માં નહિ માત્ર ગરીબો ના વિરુદ્ધ માં છે.અમે પણ નોટબંદી ને સમર્થન આપીયે પણ જો તે ગરીબો ના ફાયદા કે તેના તરફેણ માં હોય કોંગ્રેસ સરકાર પણ ભ્રસ્ટાચાર ને દેશ માંથી નાથવા માંગે છે દેશ ના ગરીબ લોકો નોટબંદી બાદ ભીખ માંગતા થઇ ગયા છે વધુ માં રાહુલ ગાંધી એ જણાવ્યું હતું કે “આજે સ્વિસ બેન્કે કાળાનાણાં ધારકો ના નામ ની યાદી આપ્યે 2 વર્ષ ની ઉપર થયું છે પણ હજુ સુધી મોદી પાર્લામેન્ટ માં તેની યાદી જાહેર કરી નથી સાથે ,પ્રધાનમંત્રી એ વિજય માલ્યા ને 1200 કરોડ ની લોન પર મૌન ધારણ કર્યું છે પ્રધાનમંત્રી એ મનરેગા ની મઝાક ઉડાવી છે અને જેને દેશ ને બનાવ્યો તેવા ખેડૂતો ને પણ મઝાક ના પાત્ર બનાવી દીધા છે ,ભારત માં માત્ર 1% લોકો જ પાસે કાળુંનાણું છે અને તેની માટે દેશ ના 99% નાગરિકો ને પરેશાન પ્રધાનમંત્રી ને શું મળે છે ?”ઉલ્લેખનિય છે કે આવનાર ઉત્તરપ્રદેશ ની ચૂંટણી માટે પ્રજા ને રીઝવવા માટે બંને પક્ષ એક બીજા પર આકરા પ્રહારો સાધી રહ્યા છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.