નવી દિલ્હી તા.28 : પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમે ફરી એક વખત નોટબંધી પર નિવેદન આપતા જણાવ્યું હતું કે માત્ર નોટબંધી ના કારણે આવનાર વિધાનસભા ની ચૂંટણી ના પરિણામ પર કોઈ ફર્ક નહિ આવે જેમાં તેમને ઉત્તરપ્રદેશ અને પંજાબ નો પણ ઉલ્લેખ કર્યો હતો.તેમને વધુ માં જણાવતા કહ્યું હતું કે ” તે કેહવું ઘણું અઘરું છે કે નોટબંધી ના કારણે વિધાનસભા ની ચૂંટણી માં કોઈ ફરક આવશે કે નહિ અને ચૂંટણી ઘણા મુદ્દાઓ પર લડવાની હોય છે તેમજ દરેક રાજ્યો પાસે પોતાની અલગ સમસ્યા છે.”
એક કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ ના પ્રવક્તા એ જણાવ્યું હતું કે “ચૂંટણી કોઈ પણ રાજ્ય માં નોટબંધી ના સહારા સાથે લડી શકાય નહિ.વધુ માં તેમને જણાવતા કહ્યું હતું કે પંજાબ માં ડ્રગ એ સહુથી મોટો ખતરો છે,જ્યારે આ પ્રકાર ની સમસ્યા ઉત્તરાખંડ કે ગોવા માં નથી.મણિપુર માં મેટિટઈ એ પ્રમુખ સમસ્યા છે તેજ રીતે ગોવા અને ઉત્તરાખંડ માં પ્રકાર ની કોઈ સમસ્યા નથી.તેજ રીતે કોઈ પણ ચૂંટણી માં બધા રાજ્ય ની સમસ્યા અલગ અલગ હોય છે કોઈ એક સમસ્યા ના નિવારણ પર ચૂંટણી નથી લડાતી”
નોટબંધી ની ટીકા કરતા જણાવ્યું હતું કે ” ભારત ના લોકો માત્ર આશા સેવી ને બેઠા છે કે નોટબંધી ના કારણે દેશ માંથી કાળુંનાણું અને ભ્રષ્ટાચાર દૂર થશે પરંતુ હજુ સુધી તેનું કોઈ નક્કર પરિણામ આવ્યું નાથી લોકો ને 3 થી 4 મહિના માં ખબર પડી જશે કે નોટબંધી થી કોઈ પણ પ્રકાર નો ફાયદો થયો નથી જેના પછી લોકો નોટબંધી નું સમર્થન કરવાનું છોડી દેશે”
તેમને વધુ માં જણાવતા કહ્યું હતું કે ” ભારત ની પ્રજા ઘણી સહનશીલ છે અને તેની માટે તેમને એવોર્ડ મડવો જોઈએ” સાથે તેમને જણાવ્યું હતું કે નોટબંધી પછી દેશ ના અર્થતંત્ર માં સુધાર આવતા 2 વર્ષ સુધી નો સમય લાગશે.
તેમને પિએમ ના નિર્ણય ને પાયાવિહોણો ગણાવ્યો હતો અને જણાવ્યું હતું કે કાળુંનાણું,આતંકવાદ અને નકલી નોટો ને નાથવા માટે નોટબંધી કરતા તેના મુખ્ય સ્ત્રોત ને બંધ કરવાની જરૂર છે આજે નોટબંધી જેવા નિર્ણય લઇ ને દેશ ના લોકો ને હાલાકી પડી રહી છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.