નવી દિલ્લી તા 20 : 5000 ની ઉપર સુધી ની રકમ 30 ડિસેમ્બર સુધી માત્ર એક જ વખત જમા કરાવી શકવાનો નિર્ણય સરકારે આજે પાછો ખેંચ્યો છે માત્ર એક દિવસ માં જ સરકારે આ નિર્ણય ને પાછો ખેંચ્યો છે તેની પાછળ પ્રધાનમંત્રી ના નોટબંધી ના નિર્ણય પર હવે ઘણા સવાલો ઉભા થયા છે વારેઘડીયે નવા નિર્ણય સાથે હવે સરકાર પોતે પણ ઘણી મૂંઝવણ માં લાગી રહી છે પરંતુ હવે 5000થી વધારેની રકમ જમા કરાવવા પર બેંકના અધિકારીઓને જણાવવું પડશે કે આ રકમ પહેલા શા માટે જમા ન કરાવી. જવાબ સંતોષકારક મળવા પર જ તે રકમ જમાં કરવામાં આવશે. નવા નોટિફિકેશન જારી કરતાં આરબીઆઈએ કહ્યું કે, આ સ્પષ્ટતા ઓન રેકોર્ડ રાખવામાં આવશે જેથી બાદમાં ઓડિટ કરી શકાય. સાથે જ કોર બેન્કિંગ સોલ્યુશનને પણ જાણકારી આપવાની રહેશે. નાણાં મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, બેંકોને કહેવામાં આવ્યું છે કે, તે લોકોને પૂછે કે આ પ્રકારની નોટ પહેલા શા માટે જમા કરાવવામાં ન આવી.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.