પાકિસ્તાની નેવીએ રવિવારે ગુજરાતના દરિયાકાંઠે આવેલી ભારતીય બોટ પર ગોળીબાર કર્યો હતો. આ ફાયરિંગમાં એક ભારતીય માછીમારનું કરૂણ મોત નિપજ્યું છે અને એક માછીમાર ઘાયલ થયો છે.
ઓખા મરીન પોલીસે મૃતક માછીમારના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે દ્વારકા અને ત્યારબાદ જામનગર મોકલી આપ્યો હતો.અને તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મૃતક દિલીપ નટુભાઈ સોલંકી 34 વર્ષીય માછીમાર દીવ પાસે આવેલા વણાંકબારાના રહેવાસી છે.
પાકિસ્તાની નેવીએ રવિવારે ગુજરાતના દરિયાકાંઠે આવેલી ભારતીય બોટ પર ગોળીબાર કર્યો હતો. આ ફાયરિંગમાં એક ભારતીય માછીમારનું કરૂણ મોત નિપજ્યું છે અને એક માછીમાર ઘાયલ થયો છે. મૃતક માછીમારનું નામ શ્રીધર જણાવવામાં આવી રહ્યું છે. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. તે જ સમયે, ઇજાગ્રસ્તને દ્વારકાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ પહેલીવાર નથી કે જ્યારે પાકિસ્તાની નેવીએ આવું કૃત્ય કર્યું હોય. આ પહેલા પણ પાકિસ્તાન તરફથી અનેક માછીમારોની ધરપકડ કરવામાં આવી છે. ગયા વર્ષે એપ્રિલમાં પણ પાકિસ્તાની નેવીએ બે બોટ પર ગોળીબાર કર્યો હતો. તે સમયે બોટમાં 8 લોકો સવાર હતા. આ ફાયરિંગમાં ઉત્તર પ્રદેશનો એક વ્યક્તિ ઘાયલ થયો હતો.
માર્ચમાં 11 ભારતીય માછીમારોની ધરપકડ કરવામાં આવી હતી
અગાઉ માર્ચમાં પાકિસ્તાને 11 ભારતીય માછીમારોની ધરપકડ કરી હતી અને તેમની બે બોટ જપ્ત કરી હતી. ફેબ્રુઆરીમાં પણ, પાકિસ્તાને દેશના જળસીમામાં કથિત રીતે પ્રવેશ કરવા બદલ 17 ભારતીય માછીમારોની ધરપકડ કરી હતી અને તેમની ત્રણ બોટ જપ્ત કરી હતી.