પ્રયાગરાજ પંથકમાં ‘દાદા’ થઈને ફરતા અતીક અહમદ અને અશરફ નું મર્ડર થયું તે પહેલાં તેઓને પોતાની હત્યા થવાની છે તેવી ભણક આવી ગઈ હતી અને તેથીજ હત્યાના બરાબર એક દિવસ અગાઉ તેણે સુપ્રીમ કોર્ટને સંબોધીને પત્ર લખ્યો હતો તેમાં તેણે પોતાની હત્યા થવાની હોવા અંગે દહેશત વ્યક્ત કરી હતી.
ગત.તા.28 માર્ચે પણ અશરફ બોલ્યો હતો કે બે અઠવાડિયા પછી
ટપકાવી દેશે
હત્યાના બે અઠવાડિયા પહેલા તેણે ‘સેવા મેં, ભારતની સુપ્રીમ કોર્ટ’ને સંબોધિત કરતા લખેલા પત્રમાં તેણે પોતાની હત્યા થવા અંગે શકયતા વ્યક્ત કરી હતી.
જોકે, હજુ સુધી આ પત્ર વિશે વધુ જાણકારી સામે આવી નથી, પરંતુ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે તેમાં ઘણા છૂપાયેલા રહસ્યો હોઈ શકે છે. અતીકના વકીલે કહ્યું કે “અતીકે મને કહ્યું હતું કે જેલમાં કેટલાક પોલીસ અધિકારીઓ દ્વારા તેને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ તમામ માહિતી પત્રમાં છે.
અતીકને જ્યારે સાબરમતી જેલમાંથી પ્રયાગરાજ લાવવામાં આવી રહ્યો હતો ત્યારે પણ તેની હત્યા થવાની દહેશત હતી.
ઉમેશ પાલ અપહરણ કેસમાં હાજર થયા બાદ 28 માર્ચની રાત્રે અશરફ બરેલી જેલમાં પરત ફર્યો ત્યારે તેણે હત્યાની આશંકા વ્યક્ત કરી હતી. મીડિયા સાથે વાત કરતા અશરફે કહ્યું હતું કે, મને બે અઠવાડિયા બાદ જેલમાં બહાર કાઢવામાં આવશે અને મારી હત્યા કરી દેવાશે. તેણે દાવો કર્યો હતો કે એક પોલીસ અધિકારીએ તેને આ વાત કહી હતી. જોકે પોલીસ અધિકારી કોણ હતા,અશરફે તેનું નામ લીધું ન હતું.
આમ,હવે અતિકના પત્ર મામલે ભારે હોબાળો મચ્યો છે.