પૂર્વ સાંસદ અતીક અહેમદ અને તેમના નાના ભાઈ પૂર્વ ધારાસભ્ય અશરફની શનિવારે મોડી રાત્રે ગોળી મારીને પોલીસ અને મીડિયાની હાજરીમાં જાહેરમાં પોઉન્ટ બ્લેન્ક રેન્જથી હત્યા કરવામાં આવી અને આ સાથેજ પ્રયાગરાજમાં માફિયાના એક પ્રકરણનો અંત આવ્યો.
જોકે, આ પહેલીવાર નથી જ્યારે માફિયા કરણ રાજનીતિથી શરૂ થયેલી સફર ગોળીઓના પાનામાં સમેટાઈ ગઈ હોય.
આતંકની આવી ચાર વારદાત વાંચો.
પ્રયાગરાજમાં આવી ઘટના પહેલીવાર નથી બની. એક-બે નહીં પરંતુ ચાર એવી ઘટનાઓ બની છે, જ્યારે અલ્હાબાદ એટલે કે આજનું પ્રયાગરાજ ગોળીબારના અવાજથી ધ્રૂજી ઊઠ્યું હતું. તેનો પડઘો દેશભરમાં સંભળાયો છે. તેની શરૂઆત આજથી 27 વર્ષ પહેલા થઈ હતી, જ્યારે શહેરના સૌથી પોશ વિસ્તાર અલ્હાબાદની શેરીઓમાં પહેલીવાર સારાહ AK-47નો અવાજ સંભળાયો હતો.
અલ્હાબાદમાં રેતીના કોન્ટ્રાક્ટને લઈને શરૂ થયેલો વિવાદ વર્ચસ્વની લડાઈ સુધી પહોંચ્યો હતો અને 90ના દાયકામાં પહેલીવાર સોપારી કિલિંગની ઘટના બની.
રાજનીતિમાં મોટું સ્થાન ધરાવતા
ઝુંસીના ધારાસભ્ય જવાહર યાદવ પંડિત, જેઓ એસપીના બાહુબલી નેતાઓમાં સામેલ હતા, તેમની 13 ઓગસ્ટ, 1996ના રોજ ધોળા દિવસે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી આ મર્ડર કેસમાં AK-47 જેવા અત્યાધુનિક હથિયારનો ઉપયોગ પહેલીવાર થયો હતો અને જેતે સમયે ભારે હાહાકાર મચી ગયો હતો.
આ ઘટના તત્કાલીન અલ્હાબાદના ભયાનક ઇતિહાસમાં આ સૌથી ખતરનાક હત્યાકાંડ હતો.
તે સમયગાળા દરમિયાન પ્રયાગરાજ હજુ વિસ્તરી રહ્યું હતું. નવી વસાહતો આકાર લઈ રહી હતી અને શહેરના સૌથી પોશ વિસ્તાર ગણાતા સિવિલ લાઈન્સની સાંજ ગોળીબારના અવાજથી ગુંજી ઉઠી હતી.
સપાના ધારાસભ્ય જવાહર પંડિતની સાથે તેમના ડ્રાઈવર ગુલાબ યાદવ અને રસ્તા ઉપરથી પસાર થનાર થઈ રહેલા કમલ દીક્ષિત નામના રાહદારીનું ગોળી વાગવાથી મોત થયું હતું.
હુમલાખોરોએ શરીરમાંથી લોહી નીકળવાનું બંધ ન થાય ત્યાં સુધી ગોળીબાર કર્યો હતો,આમાં કૃષ્ણાનંદ રાયનું નામ આવ્યું અને લાંબા સમય સુધી રાજકીય ગલિયારામાં તેનો પડઘો સંભળાતો રહ્યો.
સર્વોપરિતાની લડાઈથી શરૂ થયેલી સફર આગળ પણ ચાલુ રહી અને 18 વર્ષ બાદ ફરી એક રાજનેતાના લોહીથી અલ્હાબાદના રસ્તા લાલ થઈ ગયા. આ વખતે નિશાના ઉપર હતા ધારાસભ્ય રાજુ પાલ, જેઓ 2004માં અલ્હાબાદ પશ્ચિમથી બસપાની ટિકિટ પર ચૂંટણી જીત્યા હતા.
રાજુ પાલ એક સમયે અતીક અહેમદની ખૂબ નજીક હતા, પરંતુ તેઓ 2002માં તેમની સામે ચૂંટણી લડ્યા અને હારી ગયા.
અતીકે 2004માં રાજીનામું આપ્યું અને સાંસદ બન્યા અને પોતાના ભાઈ ખાલિદ અઝીમ ઉર્ફે અશરફને મેદાનમાં ઉતાર્યા પણ આ વખતે અશરફ બસપાના રાજુ પાલ સામે ચૂંટણી હારી ગયા, બસ અહીંથી એક નવી લોહિયાળ સફર શરૂ થઈ.
આ સીટ પરથી પાંચ વખત ધારાસભ્ય રહી ચૂકેલા અતીકે પોતાના પરિવારના અશરફની હાર સહન ન થઈ અને 25 જાન્યુઆરી, 2005ના રોજ ધારાસભ્ય રાજુ પાલ SRN હોસ્પિટલમાંથી ઘરે પરત જવા બહાર નીકળ્યા પછી પોતાની કારમાં બેઠા ત્યારે જ તેઓનો પીછો શરૂ થયો,રાજુ પાલ પોતે કાર ચલાવી રહ્યો હતા. આ દરમિયાન કેટલાક લોકો તેની પાછળ સ્કોર્પિયો સાથે આવી રહ્યા હતા.
રસ્તામાં, રાજુ પાલ તેના સમર્થકની બહેનને લિફ્ટ આપવા માટે રોકે છે. ધુમાનગંજ વિસ્તારમાં નેહરુ પાર્કથી થોડે આગળ હુમલાખોરો તેમની કારની ઓવરટેક કરે છે અને થોડી જ સેકન્ડોમાં ફાયરિંગ શરૂ થઈ કરી દે છે.
કહેવાય છે કે લગભગ 25 હુમલાખોરો હતા. તેઓએ એટલી બધી ગોળીઓ ચલાવી કે કોઈને બચવાની તક પણ ન મળી. ઘાયલ રાજુ પાલને ટેમ્પોમાં હોસ્પિટલ લઈ જવા પ્રયત્ન થયો પણ હુમલાખોરોએ ટેમ્પોનો પીછો કરી ગોળીબાર ચાલુ રાખ્યો હતો અને રાજુ પાલને જ્યારે હોસ્પિટલમાં લઈ જવાયા ત્યાં સુધીમાં તેઓના શરીરમાં અનેક ગોળીઓ વાગતા મોત થઈ ચૂક્યું હતું પોસ્ટ મોર્ટમમાં તેના શરીરમાં 15 ગોળીઓ મળી આવી હતી. આ હુમલામાં તેમના બે અંગરક્ષકો સંદીપ યાદવ અને દેવીલાલ પણ માર્યા ગયા હતા.
કરૂણતાતો એ વાતની હતી કે ધારાસભ્ય રાજુ પાલે નવ દિવસ પહેલા જ લગ્ન કર્યા હતા અને જીવનની શરૂઆત કરે તે પહેલાંજ તેઓની હત્યા કરી દેવામાં આવી હતી.
ધારાસભ્ય રાજુ પાલની હત્યામાં સૌથી મહત્વના સાક્ષી તેમના બાળપણના મિત્ર ઉમેશ પાલ હતા અને તે હત્યારાઓને કાયદાના દાયરામાં રહીને પાઠ ભણાવવા માંગતા હતા કારણ કે ઉમેશ જિલ્લા કોર્ટમાં વકીલ હતા તેથી હુમલાખોરોએ
ઉમેશ પાલની 24 ફેબ્રુઆરીએ પ્રયાગરાજમાં તેમના ઘરની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
હુમલાખોરોએ તેમના પર ગોળીઓ અને બોમ્બ ફેકયા હતા પરિણામે ગંભીર રીતે ઘાયલ ઉમેશ પાલનું બચવાની તક મળી ન હતી.
આ મર્ડર કેસમાં અતીકની સાથે ત્રીજા પુત્ર અસદનું નામ પણ સામે આવ્યું હતું.
તેના ફૂટેજ પણ સીસીટીવીમાં દેખાયા હતા.
જેમાં ફરાર અસદ ગુરુવારે પોલીસ એન્કાઉન્ટરમાં માર્યો ગયો.
ત્યારબાદ બાદના ઘટના ક્રમમાં અતીક અને અશરફની હત્યા થઈ.
આમ,રાજકીય વર્ચસ્વની લડાઈનો ખૂની ખેલ યુપીમાં ચર્ચાસ્પદ રહ્યો છે.