ભાજપ ના અમિત શાહે કહ્યું જય શ્રી રામ આ અમારો નારો છે અને બંગાળ માં જય શ્રી રામ બોલતા કોઇ રોકી નહિ શકે. બીજી તરફ અમિત શાહે ઓવૈસી નો પણ પક્ષ લઈ કહ્યું કે અમે તેને બંગાળ માં નથી લાવ્યા અને ઓવૈસી સામે મમતા બેનર્જી ને કેમ વાંધો છે ? ભલે ને તે પણ ચૂંટણી લડે.
AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીના પશ્ચિમ બંગાળમાં ચૂંટણી લડવા પર અમિત શાહે કહ્યું કે, દરેક સ્વતંત્ર છે,ઓવૈસી ગમે ત્યાંથી ચૂંટણી લડી શકે, અમે કેવી રીતે તેને કહી શકીએ કે તેઓ માત્ર હૈદરાબાદથી જ ચૂંટણી લડે. મમતા બેનર્જીના આરોપ છે કે, ઓવૈસીને ભાજપ જાણી જોઇને ઓવૈસી ને આગળ કરી રહી છે જેથી મુસ્લિમ મતોની વહેંચણી કરી શકાય, જેના પર શાહે કહ્યું કે, આવું દીદીનું વિચારવું છે અમે આવું વિચારતા નથી.
બંગાળ માં ભાજપ ના કાર્યકરો ઉપર થતી હિંસાને લઇને પણ અમિત શાહે કહ્યું કે, જ્યારે ભાજપની સરકાર બનશે તો ભાજપના કાર્યકર્તાઓની હત્યા કરનારા TMCના લોકોને પાતાળ લોકથી શોધી કાઢીશું અને સજા અપાવીશું. બંગાળની રાજનીતિના સૌથી મોટા મુદ્દા અંગે શાહે જણાવ્યું કે, બંગાળને જે સ્વરૂપ આપવું જોઇતું હતુ તેવું નથી. બંગાળની જીડીપી વધવી જોઇએ. ચોતરફથી બંગાળનો વિકાસ થવો જોઇએ. બંગાળના લોકોને ધાર્મિક ઉત્સવ મનાવવા માટે કોર્ટમાં ન જવું પડે.
ચૂંટણી જીતવાની સ્થિતિમાં મુખ્યમંત્રી પદને લઇને અમિત શાહે કહ્યું કે, કોઇ બંગાળી જ બંગાળના મુખ્યમંત્રી બનશે, કોઇ બહારનું નહીં. તેમણે કહ્યું કે, બંગાળ ભાજપના પ્રભારી કૈલાશ વિજયવર્ગીય અહીંના મુખ્યમંત્રી નહીં બને. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને અન્ય નેતા નક્કી કરશે કે બંગાળના મુખ્યમંત્રી આપણી તરફથી કોણ બનશે. હજુ આના પર કોઇ ચર્ચા જ નથી થઇ.