દેશમાં કોરોનાની બીજી લહેરની અસર હવે સ્પષ્ટપણે હળવી થતી જોવા મળી રહી છે. આરોગ્ય મંત્રાલયે મંગળવારે માહિતી આપી છે કે દેશમાં કોરોના રિકવરી રેટ હવે 85.6 ટકા પર પહોંચી ગયો છે, જે 3 મેના રોજ 81.7 ટકા હતો. તે છેલ્લા 24 કલાક દરમિયાન 4,22,436 રિકવરી થઈ છે, જે આજ સુધીનો સૌથી મોટી આંકડો છે. મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું છે કે આ સ્પષ્ટ રીતે પોઝિટિવ ટ્રેન્ડ છે.
મંત્રાલયે આપેલી માહિતી અનુસાર, કેરળમાં 99,651 રિકવરી નોટ કરાઇ છે. તેમણે કહ્યું કે અમે રિકવરીમાં ક્લિયર પોઝિટિવ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે, અને એક્ટિવ કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. માત્ર 8 રાજ્યો એવા છે જ્યાં દરરોજ 10,000 થી વધુ કેસ આવી રહ્યા છે. 26 રાજ્યો એવા છે, જ્યાં રિકવરી દરરોજ નોંધાયેલા કેસો કરતા રિપોર્ટ થનારા કેસથી વધુ છે.
છેલ્લા 24 કલાકમાં 2,63,000 કેસ થયા
7 મેનાં રોજ દેશમાં 4,14,000 જેટલા કેસ આવ્યા હતા. છેલ્લા 24 કલાકમાં 2,63,000 કેસ થયા છે. છેલ્લા 2 દિવસથી નવા કેસોમાં 300,000 થી ઓછા કેસ થઇ ગયા છે. 7 મેનાં રોજ આવેલા કેસો કરતા આજનાં કેસો 27% ઓછા છે. માત્ર 69% કેસો 8 રાજ્યોમાં છે.
દેશની સમગ્ર વસ્તીના 1.8 ટકા લોકો કોરોના સંક્રમણની ઝપેટમાં આવી ચુક્યા
મંત્રાલયે કહ્યું છે કે દેશની સમગ્ર વસ્તીના 1.8 ટકા લોકો કોરોના સંક્રમણની ઝપેટમાં આવી ચુક્યા છે. અમે હજી સુધી 2 ટકા કરતા ઓછી વસતીમાં સંક્રમણને અટકાવવામાં સફળ રહ્યા છીએ. દેશમાં કેસનો પોઝિટિવિટી રેટ 14.10% પર આવી ચુક્યો છે. આ આખા દેશની સરેરાશ છે.
દરરોજ નવા કેસની તુલનામાં વધુ રિકવરીનાં કેસો બહાર આવી રહ્યા
છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં દરરોજ નવા કેસની તુલનામાં વધુ રિકવરીનાં કેસો બહાર આવી રહ્યા છે. આજે સતત બીજા દિવસે ત્રણ લાખથી ઓછા કેસ નોંધાયા છે. ટેસ્ટનો પોઝિટિવિટી રેટ સતત ઘટી રહ્યો છે. જોકે, ગ્રામીણ વિસ્તારોમાં ચેપ ફેલાવો એ સરકારો માટે હજી પણ મોટો પડકાર છે