કોરોના એ ભારત માં હાહાકાર મચાવી દીધો છે અને હાલમાં કોરોના પોઝીટીવ ની સંખ્યા 2 લાખ 46 હજાર 394 થઇ ગઇ છે. ગતરોજ શનિવારે માત્ર એક દિવસમાં જ સૌથી વધુ 10 હજાર 293 કેસ વધ્યા હોવાનું સામે આવ્યું છે વીતેલા છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 297 લોકોના કોરોના ને કારણે મોત થયા છે. સાથેજ દેશમાં કોરોના ના ખપ્પરમાં હોમાયેલા લોકો ના મોતનો આંકડો 6946 થયો છે. અત્યારે 1.20 લાખ એક્ટિસ કેસ છે. આ આંકડા Covid19india.org અને રાજ્ય સરકારો દ્વારા મળેલી જાણકારી પ્રમાણે અહીં પ્રસ્તુત કર્યા છે.
મહારાષ્ટ્રમાં ગતરોજ વધુ 2739 નવા કેસ નોંધાયા હતા.માત્ર મુંબઇ ની વાત કરવામાં આવે તો કોરોના સંક્રમિતોની સંખ્યા 47 હજાર ને પાર કરી ગઈ છે.
અત્યાર સુધીમાં રાજ્યમાં 2969 લોકોના કોરોનાથી મોત થયા છે.
છેલ્લા એક અઠવાડિયામાંજ મૃતકો ની સંખ્યા વધી છે. આ સાત દિવસોમાં 1838 લોકોના મોત થયા છે. શુક્રવારે એક દિવસમાં સૌથી વધુ 286 મોત થયા હતા. આ પહેલા ગુરૂવારે 274 લોકોના મોત થયા હતા. શુક્રવારે સૌથી વધારે મોત 139 લોકોના મોત થયા હતા. અત્યારસુધી રાજ્યમાં એક દિવસમાં થયેલી મોતનો આ સૌથી મોટો આંકડો છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે કરેલા દાવા મુજબ લોકડાઉન ખોલ્યા પછી કેન્દ્ર સરકાર દ્વારા કોરોનાની તપાસ માટે નવી 66 લેબ ખોલવામાં આવી છે. જેમાં 48 સરકારી અને 18 પ્રાઈવેટ લેબ છે. હવે તેમાં દરરોજ 10 હજારથી વધારે સેમ્પલની તપાસ થઈ શકશે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 1 લાખ 37 હજાર 938 સેમ્પલની તપાસ કરાઈ છે. અત્યાર સુધી દેશમાં 45 લાખ 24 હજાર 317 લોકોના કોરોના ટેસ્ટ કરાયા છે. આમ કોરોના ની હાડમારી વધી છે અને અનેક લોકો આ મહામારી માં મોત ને ભેટી ચુક્યા છે કેટલાય ના ઘર બરબાદ થઈ ચૂક્યા છે. ધંધા રોજગાર પડી ભાંગ્યા છે.
Saturday, May 18