ભારતમાં કોરોના નું સંક્રમણ વઘી ગયું છે ત્યારે હવે ભારતીયો ને પહેલા રસી અપાશે અને ત્યાર બાદ જ વિદેશ માં મોકલશે, કેન્દ્ર સરકાર હવે એસ્ટ્રાજેનેકા વેક્સિન અન્ય દેશોને નહીં આપે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સ્થાનિક વેક્સિનેશન પર ફોકસ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દેશમાં એસ્ટ્રાજેનેકા-ઓક્સફોર્ડની કોરોના વેક્સિનનું નિર્માણ સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII) કોવિશીલ્ડના નામે કરી રહી છે.
જોકે,વેક્સિનની નિકાસ પર કોઈ પ્રતિબંધ લગાવવામાં આવ્યો નથી. પરંતુ હવે બીજા દેશોને વેક્સિનનો સપ્લાય સ્થાનિક જરૂરિયાતને ધ્યાનમાં રાખીને જ કરાશે, સરકારની પ્રાથમિકતા લોકોને વેક્સિનેટ કરવાની છે. દેશમાં વેક્સિન ઉત્પાદનની ક્ષમતામાં વધારો થયો છે અને બે વેક્સિન (કોવીશીલ્ડ અને કોવેક્સિન)ને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દેવામાં આવી છે. આ સંજોગોમાં સરકાર બે મહિનાના રિવ્યુ કર્યા પછી જ દેશની બહાર વેક્સિન સપ્લાય વિશે નિર્ણય કરશે.
તાજેતરમાં જ રાજસ્થાન-પંજાબ સહિત ઘણાં રાજ્યોએ કેન્દ્ર સરકાર પાસેથી મોટી માત્રામાં વેક્સિનની માંગણી કરી છે. હાલ દેશના ઘણાં રાજ્યોમાં રોજના કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. આ દરમિયાન આગામી દિવસોમાં વેક્સિનની માંગમાં વધારો થઈ શકે છે. આમ હવે દેશ માં જ જરૂર વધી છે ત્યાં બીજા ને ક્યાં દાન કરવું ?