કોરોના નું દેશમાં ભયંકર સંક્રમણ શરૂ થઈ ગયું છે અને માત્ર એક જ દિવસમાં 1.15 લાખ નવા કેસ નોંધાતા હડકંપ મચ્યો છે. છેલ્લે ગત તા. 4 એપ્રિલના રોજ મળેલા 1.03 લાખ દર્દીનો રેકોર્ડ પણ તૂટી ગયો છે અને 630 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે આ માત્ર સરકારી આંકડો છે બાકી નહિ નોંધાયેલા મૃત્યુ નો આંક વધુ હોય શકે છે હાલ એક્ટિવ કેસની સંખ્યામાં માત્ર 24 કલાકમાં જ રેકોર્ડ બ્રેક 54,795નો વધારો થયો છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 55,469 પોઝિટિવ મળી આવ્યા છે. 9,921 નવા દર્દી સાથે છત્તીસગઢ બીજા ક્રમે છે. મહારાષ્ટ્રમાં 4.72 લાખ, જ્યારે છત્તીસગઢમાં 52,445 જેટલા કોરોના ના નવા દર્દી નોંધાયા છે.
દેશમાં અત્યારસુધીમાં લગભગ 1.28 કરોડ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે, તેમાંથી લગભગ 1.18 કરોડ લોકો સાજા થયા છે અને 1.66 લાખ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
કોરોના ના કેસ વધતા દિલ્હી AIIMSએ 8 એપ્રિલથી કાયમી ધોરણે OPD બંધ કરી દેવાની ફરજ પડી છે.
ઉત્તરાખંડની દેહરાદૂનની દૂન સ્કૂલના 7 વિદ્યાર્થી અને 5 શિક્ષકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા શાળાઓ ના બાળકો સામે જોખમ ઉભું થયું છે.
ગુજરાત માં કોરોના વકરતા આજથી 20 શહેરોમાં સાંજે બજારો રાત્રે 8થી સવારના 6 વાગ્યા સુધી બંધ રહેશે. બિનજરૂરી કામથી બહાર નીકળવા પર પ્રતિબંધ તેમજ લગ્ન સમારોહમાં માત્ર 100 લોકો જ સામેલ થઈ શકશે. સરકારી ઓફિસો પણ 30 એપ્રિલ સુધી બંધ રહેશે.
ઝારખંડમાં પણ 8થી 30 એપ્રિલ સુધી બધી દુકાન, ક્લબ અને રેસ્ટોરાં રાત્રે 8 વાગ્યા પછી ખૂલશે નહીં. આ સમયગાળા દરમિયાન હોમ ડિલિવરીને મુક્તિ મળશે. ધોરણ 10 અને 12ના ક્લાસીસ ઓફલાઇન ચાલુ રહેશે. બાકીના વર્ગો ઓનલાઇન અભ્યાસ કરવામાં આવશે. 5થી વધુ લોકોને એકઠા કરવા પર પ્રતિબંધ છે.
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખીને માગ કરી છે કે આ વેક્સિન 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને આપવામાં આવે.
છત્તીસગઢ વિધાનસભા સચિવાલયમાં 7 અધિકારી-કર્મચારીઓને સંક્રમણ લાગ્યું છે, જેના કારણે 11 એપ્રિલ સુધી સચિવાલય બંધ રાખવાની સૂચના આપવામાં આવી છે.
આમ દેશ માં કોરોના એ પોતાનુ ભયાનક રૂપ બતાવતા હવે સ્થિતિ કફોડી બની છે.