હાલમાં નુપુર શર્માના વિવાદાસ્પદ નિવેદનથી ભારે હોબાળો છે તો બીજી તરફ મધ્યપ્રદેશમાં 15 દિવસમાં આખો પરિવાર મુસ્લિમમાંથી હિન્દુ બનવાની બીજી ઘટના સામે આવી છે. રતલામનાં આમ્બામાં 18 લોકોએ મુસ્લિમ ધર્મનો ત્યાગ કરીને હિન્દુ ધર્મ અપનાવ્યો છે. પરિવારનાં મોભી મોહમ્મદ હવે રામ સિંહ બની ગયા છે.
ભીમનાથ મંદિરમાં મહા શિવપુરાણની પૂર્ણાહુતિ પર સ્વામી આનંદગિરિ મહારાજનાં સાંનિધ્યમાં ગાયના છાણ અને ગૌમૂત્રથી સ્નાન કરીને જનોઈ ધારણ કરી હતી. જોકે આ અગાઉ તમામે પોતાને કોઈપણ પ્રકારના દબાણ વગર ધર્મપરિવર્તન અંગેનું એફિડેવિટ પણ બનાવી લીધું હતું.
આ પહેલા પરિવારના મોભીએ સ્વામી આનંદગિરિની પાસે જઈને ધર્મપરિવર્તન કરવાની ઈચ્છા વ્યક્ત કરતા આખા પરિવારે હિન્દુ ધર્મ અપનાવ્યો હતો.
13 દિવસ પહેલા મંદસૌરમાં શેખ ઝફર શેખના પિતા ગુલામ મોઈનુદ્દીન શેખે હિન્દુ ધર્મ અપનાવ્યો હતો અને તેઓ ચેતન સિંહ રાજપૂત બની ગયા હતા.
તેઓની પત્ની પહેલેથી જ હિન્દુ ધર્મમાંથી છે. શેખ ઝફરે ભગવાન પશુપતિનાથ મંદિર પરિસરમાં ધર્મ પરિવર્તન કર્યું હતુ.
ત્યારબાદ હવે 55 વર્ષીય મોહમ્મદ શાહ, જેઓ જડીબુટ્ટીઓ અને તાવીજ વેચે છે, તેમણે પરિવાર સાથે સ્વામીજીની હાજરીમાં ભીમનાથ મંદિર પાસે બનેલા કુંડમાં આખા પરિવારે ગાયનું છાણ, ગૌમૂત્રથી સ્નાન કર્યું હતુ. બાદમાં જનોઈ સાથે કેસરી વસ્ત્રો પહેરીને જય શ્રી રામ, જય મહાકાલ અને સનાતન ધર્મના જયઘોષ સાથે નારા લગાવ્યા હતા.
ધર્મપરિવરિતન બાદ મોહમ્મદ શાહ હવે રામસિંહ બની ગયા છે. તેમણે કહ્યું- બે-ત્રણ પેઢી પહેલા તેના પરિવારના સભ્યો વાદી સમાજમાં મોરલી વગાડવાનું કામ કરતા હતા. આ પછી, રોજગારની શોધમાં, જડીબુટ્ટીઓ વેચવાનું અને તાવીજ બનાવવા વિશે ફરતા હતા અને મુસ્લિમ ધર્મ અપનાવી લીધો હતો. થોડો સમય ગામમાં રહ્યા બાદ હિન્દુ ધર્મમાં રુચિ વધવા લાગી હતી. ગામમાં શિવ મહાપુરાણ કથા દરમિયાન સ્વામીજીને ધર્મપરિવર્તન બાબતની વાત કરી હતી. હવે પરિવાર અને સંબંધીઓએ સાથે મળીને ધર્મપરિવર્તન કર્યું હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે.