મહારાષ્ટ્રના સીએમ-ડેપ્યુટી સીએમ ભગવાન શ્રી રામની પ્રાચીન નગરી અયોધ્યા પહોંચ્યા છે તેઓ શ્રીરામલલ્લાના દર્શન કરી આર્શીવાદ મેળવશે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે ભગવાન શ્રી રામની નગરી અયોધ્યા પહોંચ્યા છે તેઓ સાથે ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ પણ છે.
લખનૌથી અયોધ્યા માટે રવાના થતા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે, ભગવાન રામના આશીર્વાદ અમારી સાથે છે અને તેથી અમને ધનુષ અને બાણનું પ્રતીક મળ્યું છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે હું ખૂબ જ ખુશ છું કે આજે હું રામલલાના દર્શન કરવા અયોધ્યા જઈ રહ્યો છું. હું રામ જન્મભૂમિ આંદોલન સાથે જોડાયેલો છું. હું તમામ કાર સેવામાં હાજર રહ્યો છું.