મહારાષ્ટ્રના CM એકનાથ શિંદે CM બન્યા બાદ આ તેમની આ પહેલી અયોધ્યા મુલાકાત હતી.
CM શિંદે અને ડેપ્યુટી CM દેવેન્દ્ર ફડણવીસ રવિવારે સવારે રામલલાના દરબારમાં પહોંચ્યા હતા જ્યાં તેઓએ ભગવાન રામની આરતી કરી હતી. મહત્વનું છે કે લખનૌ જતા પહેલા શિંદેએ કહ્યું, “હું અયોધ્યા જઈ રહ્યો છું, ત્યાં રામલલાના દર્શન કરીશ. અમે તેમની આરતી કરીશ. ભગવાન રામના આશીર્વાદ અમારી સાથે છે, એટલે જ અમને ધનુષ અને બાણ મળ્યા છે.” હકીકતમાં તેમનો સંકેત શિવસેનાના પ્રતીક ધનુષ અને બાણ તરફ હતો.
ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે પણ રામલલાના દર્શન કર્યા હતા. તેઓએ કહ્યું હું રામ જન્મભૂમિ આંદોલન સાથે જોડાયેલો છું. હું તમામ સેવામાં હાજર રહ્યો છું.” શિંદે અને ફડણવીસની સાથે મહારાષ્ટ્રના 13 સાંસદો, 45 ધારાસભ્યો, 12 મંત્રીઓ સહિત શિવસેનાના 70 અગ્રણી નેતાઓ તેમજ યોગી સરકારમાં કેબિનેટ મંત્રી સ્વતંત્રદેવ સિંહ પણ તેમની સાથે હતા.
કેબિનેટ સાથે અયોધ્યા પહોંચેલા શિંદે બપોરે રામલલાની આરતી અને સાંજે સરયૂ આરતીમાં હાજરી આપી. શિંદે અયોધ્યામાં લગભગ 9 કલાક રોકાયા હતા તેમના સ્વાગત માટે અયોધ્યાને 35 ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યું હતું, 100 જેટલા સંતો-મહંતો એકનાથ શિંદેને આશીર્વાદ આપ્યા.
આ પહેલા શિંદે શનિવારે સાંજે લખનૌ પહોંચ્યા હતા. તે પછી તેઓ જળ સંસાધન મંત્રી સ્વતંત્ર દેવ સિંહના ઘરે ગયા હતા. ત્યાં બંનેએ સાથે ડિનર કર્યું હતું.