રાજ્યમંત્રી સામે આત્મહત્યા કરનાર ખેડૂતે 15 જૂનના રોજ કહ્યું હતું કે સતત પ્રયાસો છતાં વીજ જોડાણ મેળવાને કારણે તેમણે આ પગલું ભરવું પડ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે “મારા દાદાએ 1980 માં વીજળી જોડાણ માટે અરજી કરી હતી, પરંતુ અમારા સતત પ્રયાસ હોવા છતાં, અમને વીજ જોડાણ મળ્યું નથી. “મેં જીલ્લા વહીવટને જાણ કરી હતી કે હું આત્મહત્યા કરીશ પણ તેમણે ધ્યાન આપ્યું નહીં આથી માટે આત્મહત્યા જેવું પહલું ભરવું પડ્યું હતું.
પોલીસ ઓફીસરે જણાવ્યું હતું કે વડોદરાના મલકપુર ગામમાં એક કૃષિ પ્રદર્શન યોજાયું હતું, જેમાં રાજ્ય પ્રધાન રણજિત પાટિલ અને જીલ્લાના ગાર્ડિયન પ્રધાન મદન યરવાર હાજર રહ્યા હતા. કૃષિ પ્રદર્શનના ઓપનિંગ બાદ તરત જ ખેડૂતો બુમો પાડાને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો અને ઝેરી પદાર્થ પી ગયો હતો.
હાલ ખેડૂતને જિલ્લાની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તેની સ્થિતિ ગંભીર જણાઈ રહી છે. હાલ આ ઘટના અંગે પોલીસ તપાસ ચાલી રહી છે.