મુંબઈમાં કોરોના ની સ્થિતિ વકરતા અહીં ફરી લોકડાઉન આવશે તેવા ડર ને લઈ પરપ્રાંતીય પરિવારો પોતાના વતન તરફ જઈ રહ્યા છે. મુંબઈના તમામ વિસ્તારોમાં ભીડ જણાઈ રહી છે, ટિકિટો લેવા માટે લોકો લાંબી લાઈનો લગાવી રહ્યા છે. ભિવંડી અને થાણેમાં હાલત વિકટ છે મોટાભાગની કંપનીઓએ પણ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્તા આવા લોકો પાસે પૈસા ન હોય વતન માંથી પૈસા મંગાવવા મજબુર બન્યા છે અને ઘર ન હોય કેટલાય લોકો મરીન ડ્રાઇવ ઉપર એકત્ર થઈ રહ્યા છે.
મુંબઈના લોકમાન્ય તિલક ટર્મિનસ સ્ટેશન પર રવિવાર પછી દરરોજ લોકોના ટોળે-ટોળા આવી રહ્યા છે. અહીંયા રિઝર્વેશન વગર કોઈને એન્ટ્રી આપવામાં નથી આવતી પરિણામે સ્થિતિ વિકટ બની છે મોટાભાગ ના લોકો યુપી,બિહાર ના છે કેટલાય લોકો ને માંડ એક ટાઈમ ખાવાનું મળી રહ્યું હોવાનું જણાવતા હતા.
મજૂરો ભાગી છૂટતા હવે પાવરલૂમ ઈન્ડસ્ટ્રી , સાઈઝિંગ, કંસ્ટ્રક્શનના કામો ઊપર પણ માઠી અસર પહોચી છે.
યાત્રિઓની સંખ્યામાં વધારો જોઈને સેન્ટ્રલ અને મધ્ય રેલવેએ ઘણી બધી વિશેષ ટ્રેનોને શરૂ કરી છે. મુંબઈથી ગોરખપુર, પટના અને દરભંગા માટે વિશેષ ટ્રેન શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. 01053 સ્પેશિયલ એલટીટી 13 અને 20 એપ્રિલના રોજ સાંજે 4.40 વાગ્યે ઉપડશે અને ત્રીજા દિવસે બપોરે 2 કલાકે ગોરખપુર પહોંચશે. 01054 વિશેષ ગોરખપુરથી 15 અને 22 એપ્રિલના 4.05 વાગે પ્રસ્થાન કરશે અને બીજે દિવસે રાત્રે 11.45 વાગ્યે પહોંચશે. 21401 સુપરફાસ્ટ વિશેષ ટ્રેન પુણેથી 9, 11, 16 અને 18 એપ્રિલે સાંજે 4.15 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે 11.45 વાગ્યે દાનાપુર પહોંચશે.
આમ મુંબઈ માં સ્થિતિ હાલ ખુબજ વિકટ બની છે.