મુંબઈ એરપોર્ટ પર બપોરે 11 વાગ્યે મોટી દુર્ઘટના થતા સહેજ માં રહી ગઈ હતી એરપોર્ટ ઉપર મુસાફરોથી ભરેલા પ્લેનને પુશબેક આપતા અચાનક ટ્રેક્ટરમાં આગ લાગી હતી.
આગની ઘટના બાદ એરપોર્ટ અધિકારીઓમાં ગભરાટ ફેલાયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. તાજેતરની માહિતી મુજબ તમામ મુસાફરો સુરક્ષિત હોવાનું કહેવાય છે. એર ઈન્ડિયાની આ ફ્લાઈટ મુંબઈથી જામનગર જઈ રહી હતી.