અતિક-અશરફ મર્ડર કેસમાં યોગી સરકાર વિરુદ્ધ ટિપ્પણી કરનાર
મુસ્લીમ પર્સનલ-લૉ-બોર્ડના ઉત્તર પ્રદેશના પ્રમુખ હાફીઝ-નૂર-અહમદ રઝા અઝહરી વિરૂદ્ધ એફ.આઈ.આર. નોંધવામાં આવી છે.
અતીક અહમદ અને તેના ભાઈ અશરફની હત્યા પછી સોશ્યલ મીડીયા ઉપર કોણ શુ બોલી રહ્યું છે તે ઉપર પોલીસ વોચ રાખી રહી છે તે દરમિયાન મુસ્લીમ પર્સનલ-લૉ-બોર્ડના ઉત્તર પ્રદેશના પ્રમુખ અઝહરીએ એક વિડીયોમાં અતીક-અશરફની હત્યા અંગે નારાજગી દર્શાવતા જણાવ્યું હતું કે અતીક અપરાધી હતા તે વાત સ્વીકારીએ છીએ, પરંતુ તે સાંસદ અને વિધાયક પણ હતા. અપરાધીને સજા કરવાનો અધિકાર ન્યાયાલયને છે પણ સરકારે જ અતીક અને અશરફની હત્યા કરાવી છે.
અઝહરીએ વધુમાં કહ્યું હતું કે થોડા દિવસો પહેલા મુખ્યમંત્રીએ તેમનાં એક સંબોધનમાં તેમને માટીમાં મિલાવી દેવાનું કહ્યું હતું. તેમણે અપરાધીને મિટ્ટીમાં નથી. મેળવ્યા પરંતુ રાજ્યના કાનૂન અને સંવિધાનને મિટ્ટીમાં મિલાવી દીધા છે.
આ વિડીયોમાં તે તેમ કહેતો સાંભળવા મળે છે કે ભાજપ-શાસિત-રાજયોમાં એક ”સમુદાય-વિશેષ”ના લોકોને ડરાવવામાં આવી રહ્યા છે.
હાફીઝ નૂરે કરેલા આ વિધાનો માટે તેમની ઉપર કેસ કરી તપાસ પણ શરૂ કરાઈ છે.
Saturday, May 18