સરકારે નોટબંધી નો કાયદો અમલ માં લાવતા ભારે અફડાતફડી નો માહોલ છે ત્યારે નોટબંદીના નિર્ણયને લાગૂ થયે મહિનો થઇ ગયો છે. તેના ફાયદાઓ અંગે સરકાર દ્વારા લગાતાર નિવેદન આવી રહ્યા છે. પણ બહુ ઓછા ને આ વાત ની ખબર હશે કે . આ નિર્ણયને સીક્રેટ રાખવા માટે મોદીએ મોટુ પ્લાનિંગ કર્યું હતું. રેવેન્યૂ સેક્રેટરી હસમુખ અઢિયા સહતિ 6 લોકોની ટીમ બની હતી. આ લોકો મોદીના ઘરે ગુપ્ત રૂપે કાર્ય કરી રહ્યા હતા. એવુ કહેવામાં આવી રહ્યું છે કે આ ટીમમાં સામેલ અધિકારીઓને ગુપ્તતા જાળવવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. મોદીના ઘરે બે રૂમમાં રિસર્ચ પૂરું થયું હતું.
ન્યૂઝ એજન્સી રોયટર્સના રિપોર્ટ પ્રમાણે હસમુખ અઢિયા અને 5 બ્યૂરોક્રેટ્સની પસંદગી વિચારીને કરવામાં આવી હતી. તેઓ દરેક લાઇમલાઇટથી દૂર હતાં. મોદીના ઘરે બે રૂમમાં તેઓ કામ કરતાં હતાં. મોદીએ ઇકોનોમી રિફોર્મનું આ પ્લાનિંગ 2014માં સત્તામાં આવ્યા બાદ જ શરૂ કરી દીધું હતું. એક વર્ષ સુધી રિસર્ચ ચાલ્યું, ગુજરાતીમાં પણ થતી હતી વાતચીત.
8 નવેમ્બરના મોદીએ નોટબંદીની જાહેરાત કરી તેના તુરંત બાદ અઢિયાએ ટ્વીટ કર્યું હતું. તેમાં કહ્યું હતું, ”કાળા નાણા પર લગામ લગાવવા માટે સરકારનો આ સૌથી મજબૂત અને મોટો નિર્ણય છે. ”. સપ્ટેમ્બર 2015માં અઢિયાને રેવન્યૂ સેક્રેટરી બનાવવામાં આવ્યાં હતા. ત્યાર બાદ તેઓ અરુણ જેટલીને રિપોર્ટ કરવા લાગ્યા. તેનો મતલબ એ થયો કે અઢિયા સીધા મોદી સાથે ચર્ચા કરતાં હતા અને કોઇ પણ મુદ્દા પર ચર્ચા કરવાની હોય તો બન્ને ગુજરાતીમાં વાતો કરતાં હતા. પીએમના નજીકના એક સહયોગીએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે પાછલા એક વર્ષથી મોદી, નાણા મંત્રાલયના અધિકારીઓ અને આરબીઆઇની ટીમ કરપ્શન અને કાળા નાણાના મુદ્દા પર કામ કરી રહી હતી.જે અંગે બધું ગુપ્ત રખાયું હતું.


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.