નવી દિલ્હીઃ મોદી સરકારના ત્રણ નવા કૃષિ કાયદાની વિરુદ્ધ ખેડૂતો અને ખેડૂત સંગઠન બે મહિના કરતા વધારે સમયથી આંદોલન કરી રહ્યા છે તેમ છતાં હજી કોઇ સમાધાન આવ્યુ નથી. હવે ખેડૂત આંદોલનના સમર્થનમાં લોકપ્રીય સમાજ સેવક અન્ના હજારે સમર્થનમાં આવ્યા છે અને મોદી સરકારને અલ્ટિમેટમ આપ્યુ છે.
ખેડૂત આંદોલન વચ્ચે સમાજ સેવી અન્ના હજારે કેન્દ્ર સરકારના વિરોધમાં 30 જાન્યુઆરીથી અમરણાંત ઉપવાસ શરૂ કરવા જઈ રહ્યા છે. અન્ના હજારેનું કહેવું છે કે તેઓ 2018થી કેન્દ્ર સરકારને વિનંતી કરી રહ્યા છે કે સ્વામીનાથન આયોગના સૂચનોને લાગુ કરે. પરંતુ, સરકાર તેમની માંગોને મહત્વ નથી આપી રહી. જેને કારણે હવે 30 જાન્યુઆરીના રોજથી સરકારના વિરોષમાં અન્ના હજારે અમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કરવા જઈ રહ્યા છે. જણાવી દઈએ કે અન્ના હજારેનું આ અનશન રાલેગણ સિદ્ધિના યાદવ બાબા મંદિર ખાતે થશે. જોકે સરકાર તેમને મનાવવામાં લાગી ગઈ છે.
જણાવી દઈએ કે અન્ના હજારેના અમરણાંત ઉપવાસને રોકવા માટે કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી કૈલાશ ચૌધરી અન્નાને મનાવવા આજે 29 જાન્યુઆરીના રોજ રાલેગણ પહોંચશે. છેલ્લા કેટલાંક દિવસોમાં મહારાષ્ટ્ર વિધ્ધાનદાભાના પૂર્વ અધ્યક્ષ હરિભાઉ બાગડે, પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સહીત અનેક ભાજપી નેતાઓ રાધાકૃષ્ણ વિખે પાટીલ, અહમદનગરના સાંસદ સુજય વિખે પાટીલ અને રાજ્યના વિરોધપક્ષના નેતા અન્નાને મનાવવા માટે રાલેગણ સિદ્ધિ આવી ચુક્યા છે. જોકે, તેમની ચર્ચાનો કોઈ ઉકેલ નથી આવ્યો. અન્ના સ્વામીનાથન આયોગના સૂચનો, એમએસપીની માંગો પર અડગ છે.