યાત્રાધામ કેદારનાથમાં જતા ભક્તો અત્યારસુધી ફોટા અને વીડિયો બનાવી શકતા હતા અને યાદગાર ક્ષણ ક્લિક કરી શકતા હતા પણ હવે કેદારનાથ મંદિરમાં મોબાઈલ ફોન પર પ્રતિબંધ લગાવી દેવાયો છે.
ભક્તો હવે મંદિર પરિસરમાં તસવીરો કે વીડિયો બનાવી શકશે નહીં. આ નિર્ણય બદરી-કેદારનાથ મંદિર સમિતિ (BKTC) દ્વારા લેવામાં આવ્યો છે.
આદેશનું પાલન નહીં કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે
BKTC પ્રમુખ અજેન્દ્ર અજયે કહ્યું કે આ એક ધાર્મિક સ્થળ છે, જ્યાં લોકો ખૂબ જ આસ્થા સાથે આવે છે. ભક્તોએ તેમનો આદર કરવો જોઈએ.
અત્રે ઉલ્લેખનીય છે કે વિશાખા નામની યુટ્યૂબર તેના પ્રેમી સાથે ભગવાન શંકરનાં દર્શન કરી રહી હતી. અચાનક તેણે મંદિર પરિસરમાં પ્રેમીને લગ્ન માટે પ્રપોઝ કર્યું.
છોકરાએ તેને લગ્ન માટે હા પાડી. આ સમગ્ર ઘટનાનો વીડિયો યુવતીએ સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો, જે વાયરલ થયો હતો.
વીડિયો વાયરલ થયા બાદ મંદિરમાં આ પ્રકારની રિલ બનાવવા મામલે વિવાદ થયો હતો પરિણામે હવે અહીં મોબાઈલના ઉપયોગ ઉપર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે.