યુપીમાં મદરેસાઓના સર્વેના વિરોધમાં આજે દારુલ ઉલૂમ દેવબંદમાં એક મોટુ સંમેલન મળવા જઈ રહ્યું છે આ સંમેલનમાં યુપીના 250થી વધુ મદરેસા સંચાલકો એકત્ર થશે.
જેઓ દ્વારા સરકારી સર્વેને લઈને લાઇન ઓફ એક્શન તૈયાર કરવામાં આવશે.
રાજ્ય સરકાર દ્વારા ગેરકાયદે મદરેસાઓના સર્વેની કામગીરીના વિરોધમાં આજે 18 સપ્ટેમ્બરના રોજ દારુલ ઉલૂમ દેવબંદમાં યુપીના મદરેસાઓનું એક સંમેલનનું ઔઓજન કરાયું છે.
જેમાં સરકારી સર્વેને લઈને એક લાઇન ઓફ એક્શન તૈયાર કરવામાં આવશે.
રાજ્ય સરકારના આદેશ પર 10 સપ્ટેમ્બરથી માન્યતા વિનાની મદરેસાઓનો સર્વે ચાલુ છે. આ મામલે ઉલામાએ રાજ્ય સરકારની ઈરાદા પર સવાલ ઉઠાવ્યા છે.