કોરોના મહામારી સામે હાલ રસી એ એક માત્ર હાથવગુ ઉપાય છે. ભારતમાં કોરોના મહામારીની બીજી લહેર દરમિયાન વધુમાં વધુ લોકોનું રસીકરણ થાય તે અત્યંત આવશ્યક છે. જો કે જનમાનસમાં એવી માન્યતા પ્રવર્તી રહી છે કે કોરોના રસી માટે આધારકાર્ડ હોવું ફરજિયાત છે. આવા સંજોગોમાં તેમની પાસે આધાર કાર્ડ નથી તો શું તેમને કોરોનાની રસી નહી મળે? તેવા ઘણા પ્રશ્રનો લોકોને મૂંઝવણમાં મૂકી રહ્યા છે.
શું કોરોના રસી માટે આધારકાર્ડ જરૂરી છે?
કોરોના રસી મૂકાવવા માટે આધાર કાર્ડ ન હોય તેમને વેક્સિન નહી મળી શકે તેવા પ્રચાર સામે યુનિક આઇડેન્ટિફિકેશન ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI)એ આજે સ્પષ્ટતા આપી છે કે આધાર કાર્ડ ન હોય તો પણ કોઇપણ વ્યક્તિને કોવિડ વેક્સિન, કોવિડ સારવાર અને દવા સહિતની જરૂરી વસ્તુઓ અને સેવાઓ મળી શકે છે.
આ ઉપરાંત ઓથોરિટીએ ચેતવણી પણ આપી છે કે આધાર કાર્ડ ન હોય કે કાર્ડનું ઓનલાઇન ઓથેન્ટિકેશન ન થવાની પરિસ્થિતિમાં વેક્સિન ન આપવામાં આવે તો ઉપરી અધિકારી સમક્ષ ફરિયાદ કરવી જોઇએ.
આધાર ઓથોરિટી દ્વારા આજે જારી કરવામાં આવેલા નિવેદમાં કહેવામાં આવ્યું છે કે આધારના ઉપયોગ અંગે એક સ્થાપિત વ્યવસ્થા છે અને તેને અનુસરવામાં આવે છે. આધાર કાર્ડના દુરૂપયોગ અ ને તેના હઠાગ્રહ વિશે ઓથોરિટીએ ચેતવમી આપી છે કે આધારના અભાવે કોઇપણ વ્યક્તિને વેક્સિન કે કોવિડને લગતી અન્ય કોઇ જરૂરી સેવા આપવાની ના ન કહી શકાય.
વેક્સિન લેતા સમયે આધાર કાર્ડ ન હોય કે આધાર કાર્ડનું ઓનલાઇન ઓથેન્ટિકેશન ન થાય તો વેક્સિનની ના ન કહી શકાય. ઓથોરિટીએ ચેતવણી આપી છે કે આધારના અભાવે વેક્સિન કે અન્ય કોઇ આવશ્યક વસ્તુ કે સેવા આપવામાં ન આવે તો ઉપરી અધિકારી સમક્ષ ફરિયાદ કરવી જોઇએ. આધારનો હેતુ સરકારી લાભની વહેંચણીમાં પારદર્શકતા લાવવાનો અને જવાબદારી નક્કી કરવાનો છે.