નવી દિલ્હીઃ ભારતમાં રસીકરણ અભિયાનનો બીજો તબક્કા ચાલી રહી છે. પુરતા પ્રમાણમાં રસીનો પુરવઠો ઉપલબ્ધ થાય તે માટે સરકારે કોરોના વેક્સીનનો નવો ઓર્ડર આપ્યો છે જેમાં કોવિશીલ્ડ રસી ખરીદશે. આ વખત સરકારને અગાઉ કરતા બહુ નીચા ભાવ કોરોના રસી પ્રાપ્ત થશે. મોદી સરકારે બીજા તબક્કા માટે જે કોવિશીલ્ડ (Covishield)નો ઓડર આપ્યો છે તેમાં રસીના એક ડોઝની કિંમત 150 રૂપિયા પડી છે. તેની ઉપર 50 ટકા જીએસટી અલગથી લાગશે. આમ કોરોના રસીના એક ડોઝની કિંમત 157.50 રૂપિયા પડશે. જ્યારે અગાઉ જાન્યુઆરીમાં જે વેક્સીનનો જે ઓર્ડર આપ્યો હતો, તેમાં એક ડોઝની કિંમત 210 રૂપિયા નક્કી કરાઇ હતી.
કોરોના વેક્સીનેશનના બીજા તબક્કામાં રસીના ડોઝનો ઓર્ડર વધાર્યો છે. તેનો ફાયદો મળ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના પ્રવક્તાએ કહ્યુ કે, રસીકરણના બીજા તબક્કા માટે જે ઓડર આપ્યો છે તેમાં નીચા કિંમતનો ફાયદો મળ્યો છે. પુનાની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા આ તબક્કાની માટે એક ડોઝ 150 રૂપિયાના ભાવે આપવા તૈયાર થઇ છે. તેની ઉપર 5 ટકા જીએસટી અલગથી લાગશે. એટલે કે કોરોના રસીનો એક ડોઝ 157.50 રૂપિયામાં પડશે. આ કિંમત દુનિયામાં કોરોના વેક્સીનની સૌથી ઓછી છે. અલબત્ત સરકારે કોરોના રસીના કેટલા ડોઝનો ઓર્ડર આપ્યો છે તેનો આંકડો જણાવ્યો નથી.
ભારતમાં 16 જાન્યુઆરી, 2021થી કોરોના રસીકરણ અભિયાન શરૂ કરાયુ છે જે વિશ્વનું સૌથી મોટી રસીકરણ અભિયાન છે. પ્રથમ તબક્કામાં 3 કરોડ જેટલા કોરોના યોદ્ધાઓને રસી મૂકવામાં આવી છે. હવે બીજા તબક્કામાં વરિષ્ઠ નાગરિકોને કોરોના વેક્સીન મૂકવામાં આવી રહી છે. બીજા તબક્કાના રસીકરણ અભિયાન પાછળ સરકાર અંદાજે 1300 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે.
ઉલ્લેખનિય છે કે, રસીકરણ અભિયાનના પ્રથમ તબક્કામાં સરકારને રસીનો એક ડોઝ 210 રૂપિયામા પ્રાપ્ત થયો હતો. ઉપરાંત ભારત બાયોટેકના પ્રથમ કન્સાઇન્મેન્ટમાં ખરીદવામાં આવેલ 55 લાખ કોવેક્સિન ડોઝ માટે 162 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા.