નવી દિલ્હીઃ હવે રાંધણગેસના ઉંચા ભાવ ચૂકવવા તૈયાર રહેજો કારણ કે મોદી સરકાર સબસિડીનું સંપૂર્ણ ગણિત બદલવાની તૈયારી કરી રહી છે. બજેટમાં તેની સ્પષ્ટ ઝલક જોવા મળી છે. સબસિડી પર સરકારને ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન કુલ 5.96 લાખ કરોડ રૂપિયાની રેકોર્ડ રકમ ખર્ચ કરવી પડી છે, પરંતુ આ કોરોનાથી ઉભી થયેલી સ્થિતિના કારણે થયુ છે. જો બજેટીય જોગવાઇની વાત કરીએ તો 2020-21માં સબસિડી માટે 3,27,794 કરોડ રૂપિયાની રકમ ફાળવવામાં આવી હતી, જેને આગામી નાણાકીય વર્ષ માટે 3,35,361 કરોડ રૂપિયા કરવામાં આવી છે, એટલે કે 7567 રૂપિયાનો વધારો.
સ્પષ્ટ છે કે હવે જેને જરૂર હશે, સરકાર તેને સબસિડી આપશે. ક્યારેક રાજકીય ધોરણે ખૂબ જ સંવેદનશીલ રહેનાર પેટ્રોલિયમ સબસિડીમાં 27,920 કરોડ રૂપિયાનો એકસાથે ઘટાડો કરવામાં આવ્યો છે. તેમાં એક સંવેદનશીલ બાબત એ છે કે ઘરેલૂ રાંધણ ગેસ એટલે કે એલપીજી પર હવે મોટાભાગના લોકોને સબસિડી નહી મળે. સાથે જ ખાદ્ય સબસિડીમાં વધારો તે વાતનો સંકેત છે કે ખાદ્ય સુરક્ષાને લઇને સરકાર કોઇ જોખમ ઉઠાવવા નથી માગતી. સુધારા તો યથાવત રહેશે, પરંતુ રાજકીય સંતુલન સાથે.
નાણા મંત્રી 2021-22 દરમિયાન પેટ્રોલિયમ સબસિડીની રકમને નાણાકીય વર્ષના બજેટીય અંદાજ 40,915 કરોડ રૂપિયાની તુલનામાં ઘટીને 12,995 કરોડ રૂપિયા કરવામાં આવ્યો છે. સબસિડી ફક્ત અંતરિયાળ વિસ્તારમાં રહેતા અથવા ગ્રામીણ ક્ષેત્રની ગરીબ જનતાને મળશે. મોટી રકમ એક કરોડ નવા ઉજ્જવળા કનેક્શન પર ખર્ચ થશે. તેનો બીજો અર્થ એ છે કે આવનારા દિવસોમાં જો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ મોંઘુ થાય છે તો સામાન્ય જનતાને મોંઘા પેટ્રોલ અને ડીઝલ સાથે મોંઘો એલપીજી ગેસ પણ ખરીદવો પડશે.
પાછલા કેટલાંક મહિના દરમિયાન એલપીજી સિલિન્ડરની કિંમતોમા ઘણીવાર વધારો થઇ ચુક્યો છે. આ રીતે નાણા મંત્રીએ તે પણ સ્પષ્ટ કરી દીધું છે કે હવે કેરોસિન સબસિડી નહી આપવામાં આવે. સરકારનો તર્ક છે કે પહેલા ભોજન બનાવવા માટે કેરોસિન સબસિડી આપવામાં આવતી હતી, પરંતુ હવે ગરીબને એલપીજી કનેક્શન આપવામાં આવી રહ્યું છે, તેથી તેની જરૂર નથી.
નાણા મંત્રીએ ખાદ્ય સબસિડી માટે 2,42,836 કરોડની ફાળવળી કરી છે. ચાલુ નાણાકીય વર્ષમાં ફાળવવામાં આવેલી રકમ 1,15,570 કરોડ રૂપિયા હતી, પરંતુ કોરોનાના કારણે સરકારે જે રીતે આઠ મહિના ખૂબ જ સસ્તા દરે અનાજ વિતરણ કરવામાં આવી, તેના કારણે વાસ્તવિક ખર્ચ 4,22,618 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે.