મુખ્યમંત્રી ગેહલોત ની તબિયત બગડી હોવાના અહેવાલો છે તેઓનું આજે ડાયગ્નોસ્ટિક સેન્ટરમાં સામાન્ય રૂટિન ચેકઅપ કરવામાં આવ્યુ હતુ ત્યારબાદ સીએમ ગેહલોત ડાયગ્નોસ્ટિક સેન્ટરથી એસએમએસ હોસ્પિટલV લઈ જવાયા હતા જ્યાં કાર્ડિયાક તપાસ ચાલી રહી હોવાનું સૂત્રો જણાવી રહયા છે. આ અંગે જાણ થતાંજ આરોગ્ય મંત્રી ડો.રઘુ શર્મા પણ SMS હોસ્પિટલ પહોંચ્યા છે.
વિગતો મુજબ સીએમ ગેહલોત આજે વહેલી સવારે મેડિકલ ચેકઅપ માટે ગયા હતા જ્યાં તબિયત બગડતા તેઓ ને હોસ્પિટલમાં લઈ જવાયા જોવાનું જાણવા મળ્યું છે, સીએમ ગેહલોત આજે દિલ્હી જવાના હતા પરંતુ તબિયત બગડતા તે કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે.
અશોક ગેહલોતે પોતે ટ્વીટ કરીને તેમના સ્વાસ્થ્ય વિશે માહિતી આપી છે.
અશોક ગેહલોતે ટ્વીટમાં લખ્યું, કોરોના સંક્રમણ બાદ મને સ્વાસ્થ્ય સમસ્યાઓ હતી અને ગુરૂવાર રાતથી મને છાતીમાં તીવ્ર દુઃખાવો થઈ રહ્યો હતો. હમણાં જ SMS હોસ્પિટલમાં મારું સિટી એન્જીયો કરાવ્યું છે. એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવશે. હું ઠીક છું અને જલ્દી પાછો આવીશ. તમારા આશીર્વાદ અને શુભેચ્છાઓ મારી સાથે છે.
Wednesday, May 1