રાજસ્થાન માં વર્તમાન સરકાર સંકટ માં હોવાના અહેવાલો વચ્ચે મુખ્યમંત્રી અશોક ગેહલોતે જે વાત કરી છે તે ખુબજ ગંભીર અને ચોંકાવનારી છે તેઓએ કહ્યું કે કેન્દ્રીય નેતૃત્ત્વના ઇશારે ભાજપના નેતાઓ તેમની સરકાર ઊથલાવવાના પ્રયાસ કરી રહ્યા છે.કોંગ્રેસના ધારાસભ્યોને 25-25 કરોડ રૂ. ની ઓફર કરવામાં આવી રહી છે અને તે રકમ પૈકી 10 કરોડ એડવાન્સ અને 15 કરોડ રૂ. સરકાર ઉઠલાવ્યા બાદ આપવા સુધી ની ઓફર કરવામાં આવી રહી હોવાનો સનખેજ આરોપ કરતા ભારે સનસનાટી મચી ગઇ છે. મુખ્યમંત્રી ગેહલોતે ભાજપના નેતા ગુલાબચંદ કટારિયા, પ્રદેશપ્રમુખ ડૉ. સતીશ પૂનિયા અને વિધાનસભામાં વિપક્ષના નાયબ નેતા રાજેન્દ્ર રાઠોડના નામજોગ માહિતી આપતા જણાવ્યું કે રાજસ્થાન માં સરકાર ઊથલાવવા ભાજપ લોકશાહી વિરુદ્ધ રમત રમી રહ્યું છે. તેઓ એ યોજેલી પત્રકાર પરિષદમાં મીડિયા ને જણાવ્યું કે એક તરફ રાજ્ય સરકાર કોરોના મહામારી સામે લડી રહી છે ત્યારે બીજી તરફભાજપ સરકાર ઊથલાવવામાં વ્યસ્ત છે. ભાજપ ની મહારાષ્ટ્રમાં બહુમતી ન હોવા છતાં અહીં સરકાર રચવા પ્રયાસ કરી રહ્યું છે.જે રીતે અરુણાચલમાં કોંગ્રેસને બહુમતી છતાં તેની સરકાર બનાવી દીધી છે મધ્યપ્રદેશ માં પણ આવું કર્યું અને હવે તેવું રાજસ્થાન માં કરવા માંગે છે.રાજસ્થાન પોલીસની સ્પેશિયલ ફોર્સે ધારાસભ્યોની સોદાબાજી અને સરકારને અસ્થિર કરવાના આરોપસર શુક્રવારે કેસ દાખલ કર્યો હતો, જે મામલે શનિવારે 2 શખસની ધરપકડ કરાઇ છે. ગત 19 જૂને રાજસ્થાનમાં રાજ્યસભાની 3 બેઠક માટે ચૂંટણી પૂર્વે શાસક કોંગ્રેસે તેના કેટલાક ધારાસભ્યોને ભાજપ દ્વારા પ્રલોભનો અપાયાનો આક્ષેપ કર્યો હતો. કોંગ્રેસે તે અંગે સ્પેશિયલ ફોર્સને ફરિયાદ કરી હતી. રાજસ્થાન વિધાનસભામાં કુલ 200 ધારાસભ્યમાંથી 107 કોંગ્રેસના જ્યારે 72 ભાજપના છે. 13માંથી 12 અપક્ષ ધારાસભ્યનું પણ કોંગ્રેસને સમર્થન છે.આમ હવે રાજસ્થાન માં ચાલી રહેલા વરવા રાજકારણ ના ગંદા ખેલ વચ્ચે આગળ શું થાય છે તેની ઉપર સૌની મીટ મંડાઈ છે.
Tuesday, May 14