લોકપ્રિય કોમેડિયન રાજુ શ્રીવાસ્તવની અંતિમ યાત્રા શરૂ થઈ ગઈ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાજુને આજે સવારે નિગમબોધ ઘાટ પર અંતિમ સંસ્કાર થશે.
રાજુના મૃતદેહને દિલ્હીના દ્વારકાના દશરથપુરથી નિગમબોધ સ્મશાનગૃહમાં લઈ જવામાં આવી રહ્યો છે. ત્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
કોમેડી કિંગ રાજુ શ્રીવાસ્તવના નિધનથી દરેક ચાહકો દુખી છે. ચાહકોથી લઈને પરિવાર અને મિત્રો અંતિમ યાત્રામાં જોડાયા છે કલાકારના નિધનથી, મિત્રો, સંબંધીઓ અને ચાહકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે.