રાષ્ટ્રપતિ અભિભાષણ પર વડાપ્રધાન મોદીજી ધન્યવાદ પ્રસ્તાવ આપી રહ્યા છે
પીએમ નરેન્દ્ર મોદી રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર જવાબ આપતા જણાવ્યું કે આદરણીય સભાપતિજી, સમગ્ર વિશ્વ પડકારોનો સામનો કરી રહ્યું છે. ભાગ્યે જ કોઈએ વિચાર્યું હશે કે આ બધી બાબતોમાંથી પસાર થવું પડશે. આ દશકાના પ્રારંભમાં જ આપણા રાષ્ટ્રપતિએ સંયુક્ત સંદનમાં જે અભિભાષણ કર્યું હતું એ નવો આત્મવિશ્વાસ પેદા કરનારું હતું. આ અભિભાષણ આત્મનિર્ભર ભારતનો માર્ગ ચીંધનારું હતું.
તેમણે કહ્યું હતું કે રાજ્યસભામાં સાંસદોએ તેઓના જે વિચારો રજૂ કર્યા તે તમામ નો આભાર વ્યક્ત કરું છું. રાષ્ટ્રપતિનું અભિભાષણ સાંભળવા માટે તમામ એકમંચ હોત તો લોકશાહીની ગરિમા હજી વધી જાત. રાષ્ટ્રપતિના ભાષણની તાકાત એટલી હતી કે ઘણા લોકો ન સાંભળવા છતા ઘણા બોલી શકયા. તેના પરથી ભાષણનું મુલ્ય આંકી શકાય છે.
તેમણે કહ્યું કે આપણા બધા માટે આ એક તક છે કે આઝાદીના 75માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યાં છે. આ પર્વ કઈક કરવાનો છે. આપણે વિચારવું જોઈએ કે આઝાદીના 100માં વર્ષ એટલે કે 2047માં આપણે ક્યાં હોઈશું. આજે વિશ્વની નજર આપણી પર છે.