કોરોના મહામારી માં સરકાર મદદ કરવામાં નિષ્ફળ ગઈ છે,કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અર્થતંત્રમાં સુધારા માટે યોગ્ય પગલાં ન લેવા બદલ કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી હતી. તેમણે ટ્વિટ કર્યું હતું કે, લોકો અને લઘુ ઉદ્યોગો (MSME)ને રોકડ નહિ આપી સરકાર દેશની અર્થવ્યવસ્થાને બરબાદ કરી રહી છે. આ ડિમોનેટાઇઝેશન 2.0 છે.
રાહુલ ગાંધી એ પોતાના ટ્વિટ માં ભારતના અર્થતંત્ર પર લોકડાઉનની થનારી અસરો વર્ણન પણ કર્યું છે. તેઓ છેલ્લા ઘણા દિવસોથી જરૂરિયાતમંદ અને MSMEને રોકડ સહાયની માંગ કરી રહ્યા છે. તેમણે કેન્દ્ર પાસે માંગ કરી છે કે આવતા છ મહિના માટે દેશના નબળા વર્ગને દર મહિને રૂ. 7500 આપવામાં આવે.
રાહુલે અગાઉ કહ્યું હતું કે, આ સંકટ સમયમાંથી પસાર થતા લોકોને અને ઉદ્યોગોને પૈસા ન આપવા એ સરકાર દ્વારા કરવામાં આવતો ગુનો છે. તેમણે એમ પણ કહ્યું હતું કે લોકડાઉન સંપૂર્ણ રીતે નિષ્ફળ ગયું છે. તે તેનો હેતુ સાબિત કરી શક્યો નથી. શુક્રવારે સાંજે તેમણે ટ્વિટર પર ગ્રાફિક્સ શેર કરીને આ સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ગ્રાફિક્સમાં રાહુલે ભારતમાં કોરોનાના વધતા જતા કેસોની તુલના વિશ્વના 4 સૌથી વધુ અસરગ્રસ્ત દેશો સાથે કરી હતી. આમ કેદ્ર સરકાર ની નીતિરિતી સામે તેઓ એ પોતાની નારાજગી જાહેર કરી છે.
Saturday, May 18