મહારાષ્ટ્ર શરદ પવાર Vs અજિત પવાર: દિલ્હીમાં શરદ પવારના નિવાસસ્થાને NCPની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક મળી છે. સાથે જ મુંબઈમાં અજિત પવાર કેમ્પ પણ સક્રિય છે.
રાહુલ ગાંધી અમારી સાથે છે – જીતેન્દ્ર આવ્હાડ
શરદ પવાર જૂથના નેતા જિતેન્દ્ર આવ્હાડે કહ્યું કે અમારી પાસે બધું છે. કેટલાક લોકો જતા રહે તો પણ વાંધો નથી. શિવસેના કેસમાં સુપ્રીમ કોર્ટનો નિર્ણય અમારા પક્ષમાં છે. ધારાસભ્ય પક્ષ તૂટવાનો મતલબ એ નથી કે પક્ષમાં ભંગાણ છે. રાહુલ ગાંધી આવ્યા અને ખાતરી આપી કે અમે બધા સાથે છીએ. શરદ પવાર હવે મુંબઈ જવા રવાના થઈ ગયા છે.
શરદ પવાર અને રાહુલ ગાંધીની મુલાકાત
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દિલ્હીમાં શરદ પવાર સાથે મુલાકાત કરી હતી. NCPમાં બળવા પછી બંને નેતાઓની આ પહેલી મુલાકાત હતી. રાહુલ ગાંધી હવે શરદ પવારના નિવાસસ્થાનેથી નીકળી ગયા છે.
ઉદ્ધવ ઠાકરેએ ભાજપ પર નિશાન સાધ્યું
શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેએ ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે જે વિચારધારાને ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ સાથે કોઈ લેવાદેવા નથી તે હવે દેશમાં શાસન કરી રહી છે.
અજિત પવારે નરેન્દ્ર રાણેને મુંબઈ NCP અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા
અજિત પવારે નરેન્દ્ર રાણેને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના મુંબઈ અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા. નાયબ મુખ્યમંત્રી અજિત પવારે નરેન્દ્ર રાણેને નિમણૂક પત્ર આપીને અભિનંદન પાઠવ્યા હતા.