દેશમાં ફરી ચલણી નોટ બંધ કરવા મામલે જુદી જુદી ચર્ચા છે,કોઈ કહે છે કે આ બરાબર નથી કોઈ કહે છે કાળા નાણાં ને ખતમ કરવા આ યોગ્ય પગલું છે.
આરબીઆઈએ બેંકોને 23 મેથી 30 સપ્ટેમ્બર સુધી 2000ની નોટ બદલવાની સૂચના આપી દીધી છે અને એક સમયે માત્ર વીસ હજાર રૂપિયાની મહત્તમ કિંમતની નોટો જ બદલી શકાશે
બેન્કમાં 2000ની નોટ બદલાવવાની પ્રક્રિયા તારીખ 23 મે , 2023થી શરૂ થશે અને બેંકમાં 30 સપ્ટેમ્બર, 2023 સુધીનો જમા કરાવી શકાશે. એટલે કે જનતાને 5 મહિના જેટલો સમય મળશે. 4 મહિનામાં તમામ લોકોએ 2 હજારની નોટ જમા કરાવવી પડશે. આ બાબતે લોકોની પ્રતિક્રિયા સામે આવી રહી છે કેટલાકના મતે હવે ફરીથી લાઈનમાં તો ઊભું જ રહેવું પડશે. નાના વેપારીઓ પર અસર જોવા મળશે જ્યારે કેટલાક વેપારીઓ કહે છે કે બ્લેક મની અટકાવવા માટે જે નિર્ણય લેવામાં આવ્યો છે તે યોગ્ય છે તો કેટલાક લોકો કહે છે કે સરકારે આ પહેલા નોટબંધી કરી હતી, પરંતુ તેનો ખાસ કોઈ ફાયદો નહીં થયો હોવાની વાતો માર્કેટમાં વહેતી થઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે બે હજાર રૂપિયાની નોટ નવેમ્બર 2016માં ચલણમાં આવી હતી. તે સમયે સરકારે કાળા ધન અને નકલી નોટો પર અંકુશ લગાવવા માટે 500 અને એક હજાર રૂપિયાની નોટના ચલણ પર રોક લગાવી હતી. ત્યારબાદ 500 રૂપિયા અને 2000 રૂપિયાની નોટો બહાર પાડવામાં આવી હતી. જ્યારે 1000 રૂપિયાની નોટ સંપૂર્ણ રીતે બંધ કરી દેવાઈ હતી. એક હજાર રૂપિયાની નોટની જગ્યાએ સરકારે બે હજાર રૂપિયાની નોટ બજારમાં મૂકી હતી અને હવે 2000ની નોટ પણ બંધ કરવાની જાહેરાત થતાં સંગ્રહખોરો હવે પસ્તાઈ રહયા છે કારણ કે જેઓ પાસે મોટી માત્રામાં નોટો છે તેઓ માટે અચાનક ચિંતા આવી પડી છે.