સરકારે બેન્ક ખાતાઓ ખોલવા માટે અને સાથો સાથ રૂ 50000 અને તેથી વધુના કોઈ પણ નાણાંકીય વ્યવહાર માટે બાયોમેટ્રિક ઓળખ નંબર આધાર ટાંકવાનું ફરજિયાત બનાવ્યુ છે.
વર્તમાન બેન્ક ખાતા ધારકોને જણાવવામાં આવ્યું છે કે તેઓ યુનિક આઇડેન્ટીફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્રારા આપવામાં આવેલ આધાર નંબર 31 ડિસેમ્બર 2017 સુધી રજૂ કરે,અને તેમ કરવામાં નિષ્ફ્ળ જવાથી વ્યવહારો માટે બેન્ક ખાતું સ્થગિત કરી દેવામાં આવશે.
આ અંગે મહેસુલ વિભાગના એક જાહેરનામામાં જણાવ્યુ હતું, જેથી કરચોરી કરવા વ્યક્તિઓ એકથી વધુ પાનનો ઉપયોગ કરે તે સ્થિતી ટાળી શકાય.
પ્રિવેંશન ઓફ મની લોન્ડરીંગ રૂલ્સ 2005માં સુધારો કરતું જાહેરનામું જારી કરવામાં આવ્યું છે. જે આધારને પાન અથવા ફોર્મ 60 સાથે રૂ 50000 અને તેથી વધુના નાણાંકીય વ્યવહારો માટે વ્યક્તિઓ કંપનીઓ અને ભાગીદારી પેઢીઓ દ્રારા દર્શાવાય તે ફરજિયાત બનાવવામાં આવ્યું છે.