અધિકૃત રેલવે એજન્ટો દ્વારા ટિકિટ બુકિંગ પ્રક્રિયામાં પારદર્શિતા લાવવાના પ્રયત્નમાં IRCTC ઓટીપી આધારિત સિસ્ટમ લઈને આવ્યું છે. જેમાં પ્રવાસીઓને ટિકિટ કેન્સલ કરાવવા અને IRCTC દ્વારા આપવામાં આવેલ પાસવર્ડનો ઉપયોગ કરીને રિફંડ મેળવવાની સુવિધા આપશે.
ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન લિમિટેડ (IRTCT) તરફથી કરવામાં આવેલ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ પ્રણાલી માત્ર તેના અધિકૃત એજન્ટોના માધ્યમથી બુક કરાવવામાં આવેલ ઈ-ટિકિટો પર લાગુ થશે.
https://twitter.com/PiyushGoyal/status/1189166909079674880
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઓટીપી આધારિત રિફંડ પ્રક્રિયા ગ્રાહકોના લાભ માટે વ્યવસ્થામાં વધુ પારદર્શિતા સુનિશ્ચિત કરશે. તે ગ્રાહકોને અનુકૂળ સુવિધા હશે, જ્યાં પ્રવાસી કેન્સલ કરાવવામાં આવેલી ટિકિટ કે વેઇટિંગ લિસ્ટ ટિકિટ માટે એજન્ટ દ્વારા પ્રાપ્ત થયેલા રિફંડની રકમની યોગ્ય માહિતી મેળવી શકશે.
ઉલ્લેખનિય છે કે આ સિસ્ટમ મુજબ, જ્યારે પણ કોઈ મુસાફર અધિકૃત આઈઆરસીટીસી એજન્ટ દ્વારા બુક કરાવવામાં આવેલી ટિકિટ કે પૂર્ણ વેઇટિંગ લિસ્ટ કેન્સલ કરાવે છે તો રિફન્ડ રકમ અને વન ટાઇમ પાસવર્ડ (ઓટીપી)નો એક એસએમએસ મુસાફરના મોબાઇલ નંબર પર મોકલવામાં આવશે. ત્યારે બાદ મુસાફરે રિફન્ડ મેળવવા માટે તે એજન્ટને ઓટીપી આપવો પડશે. જેણે ટિકિટ બુક કરાવી હતી.