નવી દિલ્હી તા.3 : છેલ્લા ઘણા સમય થી સરકાર દ્વારા વાતો કરવામાં આવી રહી હતી કે આધાર ને રેલ પાસ સાથે જોડવામાં આવશે પરંતુ રેલ મંત્રી સુરેશ પ્રભુ એ આ વાત ને આજે સ્પષ્ટ કરી છે અને તેમને જણાવ્યું હતું કે આ વિષે સરકાર અત્યારે કોઈ પ્રસ્તાવ મુકવાના મૂળમાં નથી.સુરેશ પ્રભુ એ સંસદ માં વિવિધ સવાલો ના જવાબ આપવાના સમયે આ વાત ને સ્પષ્ટ કરી હતી.
જયારે તેમને સવાલ પૂછવામાં આવ્યો કે રેલ શૂ આધાર ને રેલ પાસ સાથે જોડવાની છે.ત્યારે તેમને આ વાત ની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે સરકાર તેના પર હજુ કોઈ પણ જાત ની ટિપ્પણી કરવા માંગતી નથી.સાથે તેમને વધુમાં જણાવ્યું હતું કે સરકાર થોડા સમય પછી તેના પર કામ કરવાનું વિચાર કરી રહી છે જેના કારણે રેલ કર્મી અને પેન્શન ધારકો ઓનલાઇન ટિકિટ ની ખરીદી કરી શકે.
તેમને જણાવ્યું હતું કે હાલ રેલ્વે ના પાસ ધારકો પાસે ઓનલાઈને ટિકિટ ખરીદવાની સુવિધા ઉપલબ્ધ નથી,પરંતુ હાલ તેના પર સરકાર કામ કરવાનું વિચારી રહી છે અને થોડા કે સમય માં તેના પર કામ શરૂ કરવામાં આવશે.તેમને અન્ય એક સવાલ નો જવાબ આપતા જણાવ્યું હતું કે લોકો માસિક ટિકિટ ચાર તરીકે થી લઇ શકે છે.તેઓ કાઉન્ટર ની સાથે સાથે ઓનલાઇન,ટિકિટ વેડિંગ મશીન તેમજ મોબાઈલ થી પણ ટિકિટ નું બુકીંગ કરાવી શકે છે અને તે દરેક નાગરિક માટે ઉપલબ્ધ છે.
તેમને વધુ માં જણાવ્યું હતું કે ટિમ એ અને ટિમ બી ના 16,630 અધિકારી તથા જૂથ સી અને જૂથ ડી ના 13.12 લાખ અધિકારી હાલ માં છે.રેલ અધિકારીઓ ને તેમના મૂડ વેતન ના આધારે પાસ નું વિતરણ કરવામાં આવે છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.