આપણા દેશમાં નેતાઓને અપાતી સવલતો તેમજ ઊંચો પગાર વગેરેમાં ખૂબજ મોટો ખર્ચ પહેલેથી જ થઈ રહ્યો છે અને એમાંય જો વારંવાર સંસદમાં કાર્યવાહી ઠપ્પ રહે તો પણ કરોડોનો ખર્ચ થતો હોવાની વાત સપાટી ઉપર આવી છે.
સોમવારથી શુક્રવાર સુધી સંસદની કાર્યવાહી મણિપુર મુદ્દે વારંવાર હંગામાથી ઠપ થઈ ગઈ હતી અને સરકાર અને વિપક્ષ વચ્ચે મડાગાંઠ ચાલુ રહી.
બંને ગૃહોમાં ભારે હોબાળો અને નારાબાજી થઈ હતી.
આ પહેલા મંગળવારે ગૃહ પ્રધાન અમિત શાહે વિપક્ષી નેતાઓ મલ્લિકાર્જુન ખડગે અને અધીર રંજન ચૌધરીને પત્ર લખીને આ મુદ્દે સંસદમાં ચર્ચા કરવા અને કેન્દ્રને સહકાર આપવા વિનંતિ કરી.
આ સ્થિતિમાં પણ વારંવાર સંસદ ઠપ્પ થવાને કારણે કરોડો નું નુકસાન થઈ રહ્યું છે તે આખરે દેશની તિજોરીને જ ફટકો પડે છે ત્યારે જાણો સંસદની એક મિનિટની પણ કાર્યવાહીનો ખર્ચ કેટલો હોય છે અને વારંવાર સંસદ ખોરવાય જાયતો કેટલો ખર્ચ થાય તે જાણો.
ફાઈનાન્શિયલ એક્સપ્રેસના અહેવાલમાં લોકસભાના પૂર્વ મહાસચિવ પીડીટી આચાર્યએ સંસદ ચલાવવાનો ખર્ચ 2.5 લાખ રૂપિયા પ્રતિ મિનિટ જણાવ્યો હતો.
તેમણે જણાવ્યું કે, તેમાં વીજળી, પાણી, પેટ્રોલ, ખાદ્યપદાર્થનું બિલ, સંસદની સુરક્ષા, સાંસદનો પગાર-ભથ્થું, સુરક્ષા ગાર્ડ અને અહીંના વિવિધ ભાગોમાં કામ કરતા લોકોને આપવામાં આવતો પગાર સામેલ છે.
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે અગાઉ માર્ચમાં બજેટ સત્રમાં માત્ર છ દિવસમાં સંસદમાં મડાગાંઠના કારણે 10 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો.
આમ,નેતાઓ પોતાનો લાખ્ખોનો પગાર લઈ લે છે અને ઉપરથી એક એક મિનિટ લાખ્ખોમાં પડે છે ત્યારે દેશહીતમાં આ કેટલું યોગ્ય?તે વાત આજની જનરેશનમાં ચર્ચાનો વિષય બની છે.