લોકરક્ષકદળની પરીક્ષા બાદ વનરક્ષક સંવર્ગ -3 ની પરીક્ષા રદ થતા યુવાનોમાં ખળભળાટ મચી ગયો છે. આગામી 23 ડિસેમ્બરે રાખવામાં આવેલી આ પરીક્ષાને રદ કરવામાં આવી છે. હજી સુધી આ પરીક્ષા રદ કરવાનું કોઈ ચોક્ક્સ કારણ બહાર આવ્યું નથી, પણ થોડા સયમાં પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવશે.
વનરક્ષકની 334 સીટ માટે હજારો વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતા, પરીક્ષા રદ થતા આ તમામ વિદ્યાર્થીઓ અટવાયા છે. સરકાર સામે ફી એક પ્રશ્ન છે કે દેશના યુવાનોના ભવિષ્ય સાથે ક્યાં સુધી ચેડા થતા રહેશે.