રાજ્યમાં લોકસભાની ચૂંટણીઓ માથા ઉપર છે અને ભાજપમાં હજુ પત્રિકા વિવાદ ગોથે ચડેલો છે,ભાજપે લોકસભાની ચૂંટણીઓ પહેલા ઉત્તર ગુજરાતમાં પાટણ ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને અમિત શાહ વારંવાર પાટણ આંટો મારી રહયા છે.
ગુજરાતમાં કોંગ્રેસે સંગઠનમાં ફેરફાર કરી વ્યૂહ રચના ગોઠવવાની શરૂઆત કરી દીધી છે.
ત્યારે પાટણ નું ગણિત સમજવું પડે.
પાટણ લોકસભા બેઠકમાં આવતી 7 વિધાનસભા સીટ, જેવી કે પાટણ, ચાણસ્મા, રાધનપુર, સિદ્ધપુર, કાંકરેજ, વડગામ અને ખેરાલુનો સમાવેશ થાય છે.
આ 7 સીટમાંથી 4 સીટ પર કોંગ્રેસનો, જ્યારે 3 સીટ પર ભાજપનો વિજય થયો છે.
વિધાનસભા ચૂંટણી 2022માં કોંગ્રેસનો કારમો પરાજય થયો હતો અને માત્ર 17 સીટમાં જ સમેટાઈ ગઈ હતી. આમ છતાં પાટણ લોકસભામાં આવતી આ 7 સીટમાંથી 25 ટકા સીટ કોંગ્રેસે જીતી લેતાં પાટણ લોકસભા સીટ પર કોંગ્રેસનો ભારે દબાદબો છે. એટલું જ નહીં, આ તમામ સીટમાં ભાજપના ઉમેદવારોને કોંગ્રેસના ઉમેદવારો કરતાં માત્ર 441 મત જ વધુ મળ્યા હોય તે બોર્ડર ઉપર ગણાય, તેનાથી સાબિત થાય કે કોંગ્રેસ પણ મજબૂતીમાં છે.
હવે જો પાટણ લોકસભા સીટમાં આવતી 7 વિધાનસભા સીટમાં ભાજપને કોંગ્રેસ કરતાં વધુ મળેલા 441 મત ભૂલી જાવ અને જો કોંગ્રેસ અને આપ નુ ગઠબંધન થઈ જાય તો આ સીટ ઉપર ભાજપની બાદબાકી થઈ જાય તેવું વિશ્લેસકોનું ગણિત છે.
કોંગ્રેસ અને આપના વિધાનસભા સીટોમાં મળેલા મતોનો સરવાળો ભાજપને મળેલા મત કરતા 30000 મત વધુ થાય છે.
ભાજપ માટે ગુજરાતની 26 સીટ પૈકી પાંચ નબળી સીટમાં પાટણ સીટ હોય આ સીટ ઉપર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સીધું ફોક્સ કરી રહ્યાનું જણાય છે.
પાટણ ઉપરાંત જૂનાગઢ લોકસભા સીટ પણ ભાજપ માટે પડકારજનક સાબિત થવાની શક્યતાઓ છે. જૂનાગઢ લોકસભા સીટ 1991થી 1999 સુધી ભાજપ પાસે જ રહી હતી. પરંતુ 2004માં આ સીટ કોંગ્રેસે ઝૂંટવી લીધી હતી. જો કે ત્યાર બાદ ભાજપે 2009, 2014 અને 2019 સુધી એટલે કે ત્રણ ટર્મથી આ સીટ જાળવી રાખી છે.
પરંતુ હવે જો આપ અને કોંગ્રેસના ગઠબંધ થવાની વાતો જો હકીકતમાં પલટાય તો તેની અસર આ સીટ પર સૌથી વધુ થઇ શકે. જૂનાગઢ લોકસભા સીટમાં આવતી 7 વિધાનસભા સીટો જૂનાગઢ, વિસાવદર, માંગરોળ, સોમનાથ, તાલાલા, કોડીનાર અને ઉનામાંથી 2022ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો સોમનાથ સીટ જ્યારે આપનો વિસાવદર સીટ પર વિજય થયો હતો. હવે જો આ તમામ વિધાનસભા સીટ પર ચૂંટણી લડેલા આપ અને કોંગ્રેસના ઉમેદવારોના મતનો સરવાળો કરીએ તો ભાજપ કરતાં કોંગ્રેસ-આપને મળેલા મત 32000નો આંક વટાવે છે.
આમ અહીં પણ ભાજપને મહેનત કરવી પડે.
પોરબંદર લોકસભા સીટમાં આવતી 7 વિધાનસભા બેઠકોમાં ગોંડલ, જેતપુર, ધોરાજી, પોરબંદર, કુતિયાણા, માણાવદર અને કેશોદ સીટનો સમાવેશ થાય છે. આ 7 સીટમાંથી હાલ માણાવદર અને પોરબંદર સીટ કોંગ્રેસ પાસે છે, જ્યારે કુતિયાણા પર સમાજવાદી પાર્ટીના કાંધલ જાડેજા પાસે અને બીજી 4 સીટ ભાજપ પાસે છે. આ તમામ વિધાનસભા સીટ પર ભાજપ તથા આપ-કોંગ્રેસના મતની તુલના કરીએ તો ભાજપ માત્ર 19389 મતથી જ આગળ ગણાય.
જોકે,હાલ ભાજપમાં જે રીતનો માહોલ છે તે જોતા કોંગ્રેસે પોતાની રીતે તૈયારીઓ કરી લીધી છે અને આ બધા વચ્ચે ઈશુદાન ગઢવીએ આપ અને કોંગ્રેસના ગઠબંધનની જાહેરાત કરી પણ કોંગ્રેસ પ્રવક્તાએ તે વાતને નકારી છે.
જોકે,ભવિષ્યમાં આ બન્ને પક્ષ વચ્ચે ગઠબંધનનું ગણિત આવેતો ઉપર મુજબ કેટલીક જગ્યાએ ભાજપનું તમામ બેઠક કબ્જે કરવાનું ગણિત કદાચ ગોટાળે ચડી જાય તેમ વિશ્લેસકોનું માનવું છે.