દેશના કાળાનાણા ડુપ્લીકેટ નોટોનું કૌભાંડ આતંકી પ્રવુત્તિઓ, કાળા બજારીયા, સંગ્રહ ખોરો ની મોટી માયાજાળને ખતમ કરવા મોદીજી એ નોટબંધીનો માસ્તર સ્ટ્રોક તો મારી દીધો. ત્યારે જે લોકો પાસે અબજો રૂપિયાની રૂ. ૧૦૦૦ અને ૫૦૦ ની મોટા પાયે નોટો હતી. તેઓના ધોતિયા તો ઢીલા થઇ ગયા હતા. પરંતુ બીજા -ત્રીજા દિવસે જ જાત-જાતના દલાલો રાતોરાત માર્કેટમાં આવી ગયા અને અમુક કમીશન આપી નોટો બદલી આપવાનો ક્રમ શરૂ થયો. જે માત્ર બે-ત્રણ દિવસ સુધી માંડ ચાલ્યો અને તે જ કમીશનવાળી મોડલ્સ ઓપરેટરી બેંકોના જ કેટલાક કર્મચારીઓ,અધિકારીઓ અને તેમના લાગતા વળગતા સ્નેહીઓએ જ ચાલુ કરી દેતા વિવિધ શહેરોમાં રાતો રાત ફૂટી નીકળેલા એજન્ટો હાથ ઘસતા રહી ગયા હતા. અને ફોનના બીલો માથે પડ્યા હતા. હાલમાં મની લોન્ડરીંગના કેસો કેટલીક બેન્ક સામે થયા હોવાનું બહાર આવ્યું છે. અને અબજોપતિઓને ઘર બેઠા રૂપિયા બદલી આપતા વાચેરીયા પણ રાતો-રાત કરોડપતિ બની ગયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. અને કેટલીક શંકાસ્પદ બેંકો સામે તપાસ ના ચક્રો ગતિમાન થયા છે. ત્યારે મોદી સાચા પણ કૌભાંડિયા એક ડગલું આગળ હોવાનું જણાઈ રહ્યું છે.


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.