વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બુધવારે ચંદીગઢ પહોંચ્યા હતા અને પંજાબના પૂર્વ સીએમ સ્વ.પ્રકાશ સિંહ બાદલને શ્રદ્ધાંજલિ આપી હતી.
મોદી ચંડીગઢ એરપોર્ટથી સીધા સેક્ટર-28માં શિરોમણી અકાલી દળની ઓફિસ પહોંચ્યા હતા,જ્યાં સ્વર્ગસ્થ બાદલના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો. પીએમ મોદી લગભગ 12:45 વાગ્યે SAD કાર્યાલય પહોંચ્યા અને સંગતની ભીડ વચ્ચે બાદલના નશ્વર દેહને ફૂલ અર્પણ કર્યા હતા. પીએમ મોદી શીખ ધર્મના નિયમો અનુસાર માથા પર કેસરી પટકા બાંધીને પહોંચ્યા હતા. તેઓ લગભગ 10 મિનિટ સુધી શોકસભામાં રહ્યા અને પ્રકાશ સિંહ બાદલને યાદ કર્યા. અરદાસ બાદ પ્રકાશ સિંહ બાદલના પાર્થિવ દેહને પાર્ટીના ઝંડામાં તેમના વતન લઈ જવાશે જ્યાં અંતિમ વિધિ થશે.
Saturday, May 18