બેંગલુરુમાં વિપક્ષી એકતાની મોટી બેઠક યોજાવા જઈ રહી છે, જેમાં 24 પક્ષોના ટોચના નેતાઓ ભાગ લઈ શકે છે.
વિપક્ષનો એકજ મકસદ છે કે કોઈપણ ભોગે 2024ની ચૂંટણીમાં ભાજપની સરકાર બનવી જોઈએ નહીં.
વિપક્ષનું માનવુ છે કે 2019માં BJP+ને 45% વોટ મળ્યા હતા તો આ વખતે જો બધાજ વિપક્ષ મળીને 55% વોટ જીતે તો વિપક્ષની સરકાર બનશે.
અગાઉ રાહુલ ગાંધી કહી ચૂક્યા છે કે અમે સાથે મળીને ભાજપને હરાવીશું. દેશમાં બે વિચારધારાઓની લડાઈ ચાલી રહી છે. એક તરફ કોંગ્રેસની ભારત જોડો વિચારધારા છે, તો બીજી તરફ ભાજપ-આરએસએસની ‘ભારત તોડો’.
નીતીશ કુમારે પણ વિપક્ષ એકજૂથ થઈ સાથે ચાલવાની વાત થઈ છે, સાથે મળીને ચૂંટણી લડવા પર સહમતી બની છે. તમામ પક્ષોની આગામી બેઠક ટૂંક સમયમાં યોજાશે.
આ બેઠકમાં આખરી સ્વરૂપ આપવામાં આવશે, કોણ ક્યાંથી, કેવી રીતે લડશે.
મમતા બેનર્જી પણ ભારે ફોર્મમાં છે અને કહી ચુક્યા છે કે આપણે એક છીએ અને સાથે મળીને લડીશું તેમજ ભાજપ જે પણ રાજકીય એજન્ડા લાવશે એનો સાથે મળીને વિરોધ કરીશું.
આમ,ભાજપને હરાવવા માટે હવે વિપક્ષ એકજૂથ થઈ રહ્યો છે ત્યારે શું આ સંઘ કાશીએ પહોંચશે ખરો?આ મુદ્દે વિશ્લેષકોમાં જુદા જુદા મત પ્રવર્તી રહયા છે.