નવી દિલ્હીઃ શિક્ષિત યુવા વર્ગ માટે સંસદમાં નોકરી મેળવવાની ઉજળી તક સર્જાઇ છે. આ વખતે લોકસભા સચિવાલયમાં વિભિન્ન પદો પર ભરતીઓ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. લોકસભા સચિવાલયના કેટલાક પદો પર આવેદન મંગાવાયા છે. અરજી કરવાની છેલ્લી તારીખ 8 ફેબ્રુઆરી 2021 છે. ઉમેદવાર ઑફિશીયલ વેબસાઈટ પર જઈને અરજી કરી શકે છે.
લોકસભા સચિવાલયમાં આ પદો પર થશે ભરતી
લોકસભા સચિવાલય દ્વારા જારી કરેલા નોટીફિકેશન અનુસાર, હેડ કન્સલ્ટન્ટ, સોશ્યલ મીડિયા માર્કેટીંગ, સોશ્યલ મીડિયા (જૂનિયર કન્સલ્ટન્ટ), ગ્રાફિક ડિઝાઈનર, સીનીયર કંટેટ રાઈટર (હિન્દી), જુનિયર કંટેટ રાઈટર (હિન્દી)અને મીડિયા માર્કેટીંગ સહિત કેટલાક પદો પર ભરતી કરાશે.
ભરતી માટે જરૂરી યોગ્યતા
અલગ-અલગ પદો માટે અરજીની યોગ્યતા પણ અલગ-અલગ નિર્ધારિત કરવામાં આવી છે. કેટલાક પદો માટે અરજીની યોગ્યતા 12 પાસ માંગવામાં આવી છે. તો અન્ય પદો પર ભરતીઓ માટે ગ્રેજ્યુએશન સુઘીની યોગ્યતા અનિવાર્ય છે. યોગ્યતાથી જોડાયેલી જાણકારી માટે અમેદવાર નોટિફિકેશન જુઓ
ખાલી પોસ્ટની જાણકારી અને સંખ્યા
- હેડ કન્સલ્ટન્ટ -01 પદ
- સોશ્યલ મીડિયા માર્કેટીંગ (સિનિયર કંસલ્ટન્ટ) -01 પદ
- સોશ્યલ મીડિયા (જૂનિયર કન્સલ્ટન્ટ) -01 પદ
- ગ્રાફિક ડિઝાઈનર -01 પદ
- સીનીયર કંટેટ રાઈટર (હિન્દી) -01 પદ
- જુનિયર કંટેટ રાઈટર (હિન્દી) -01 પદ
- સોશ્યલ મીડિયા માર્કેટીંગ (જુનિયર એસોસિએટ) – 03
નક્કી વયમર્યાદા
આ પદો પર અરજી કરનારાઓ માટે ઉમેદવારોની વય 22 વર્ષથી 58 વર્ષ સુઘી હોવી જોઈએ. તો આરક્ષિત વર્ગો માટે વયમર્યાદા સીમામાં છૂટ અપાઈ છે. ઈચ્છુક ઉમેદવાર વધુ માહિતી માટે નોટિફિકેશનમાં તપાસ કરી શકે છે.
જાણો અરજીની પ્રક્રિયા
ભરતી માટે ઈચ્છુક અને યોગ્ય ઉમેદવારોએ 8 ફેબ્રુઆરી 2021 સુધીમાં ફોર્મ ભરીને સંબંધિત ડોકયૂમેન્ટસ સાથે [email protected] પર મોકલવાનું રહેશે. આ પદો પર ઉમેદવારોની પસંદગી વૉક ઈન ઈન્ટરવ્યૂના આધાર પર કરવામાં આવશે. પસંદગી પ્રક્રિયાથી જોડાયેલી વધુ જાણકારી ઉમેદવાર નોટિફિકેશનમાં તપાસ કરી શકે છે.