અમદાવાદ તા.7 : આઝાદ હિંદ ફૌજના નેતાજી સુભાષચંદ્ર બોઝના સારથી કર્નલ નિઝામુદ્દીન ઉર્ફે સૈફુદ્દીનનું આજે જૈફ વયે નિધન થયુ હતુ જેના પગલે વડાપ્રધાને તેમના મૃત્યુ ઉપર ટ્વીટર ઉપર ટ્વીટ કરીને શોક વ્યક્ત કર્યો હતો.વડાપ્રધાને કહ્યુ હતુ કે મને આજે પણ તેમની સાથેની મુલાકાત યાદ છે. તેમના અમારી વચ્ચેથી આમ વિદાય થઈ જવુ એ ખરેખર દુઃખદ છે. તેમની દેશભક્તિ, આદર્શ અને અદમ્ય સાહસને દેશ હંમેશા યાદ રાખશે117 વર્ષની ઉમંરે કર્નલનુ મોત થયુ છે. વારણસીમાં મુબારકપુર વિસ્કારના ઢકવા માં આવેલ પોતાના ઘરમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. કર્નલ નિજામુદ્દીનના મૃત્યુના સમાચારને પગલે coલોકોના ટોળે ટોળા તેમને શ્રધ્ધાંજલિ આપવા ઉમટી પડ્યા હતા.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.