કોરોના વખતે મોંઘું થઈ ગયેલું સોનુ ફરી એકવાર નીચી સપાટી ઉપર આવતું જાય છે, સોના ના ભાવો તેની જે કિંમત હોવી જોઈએ તેના કરતાં ત્રણ ઘણી કિંમતે પહોંચી જતા મોટાભાગ ના લોકો એ સોનુ ખરીદવાનું બંધ કરી દઇ ઇમિટીશન જવેલરી તરફ વળી જતા સોના ના ઘરેણાં ની ખરીદી ખુબજ ઓછી થઈ જતા જવેલર્સ ની શોપ માં વીંટી કે બુટ્ટી જેવી આઇટમો સિવાય કોઈ અન્ય ખરીદી અટકી પડી હતી આ બધા વચ્ચે બજેટ દરમ્યાન મ ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણે સોના અને ચાંદીનાં ભાવ પર કસ્ટમ ડ્યૂટીને 12.5 ટકાથી ઘટાડીને 7.5 ટકા કરી દેતા સોના ના કાળા બજાર ને ફટકો પડયો છે. ફાઈનાન્સ મિનિસ્ટરે આ પગલુ સોનાની સ્મગલિંગને રોકવા માટે લીધું છે. કસ્ટમ ડ્યૂટી ઘટાડવાથી સોનું સસ્તુ થઈ રહ્યું છે અને વિશ્વ બજારમાં જે સ્થિતિ છે તેની અસર પણ સોના-ચાંદીની કિંમતો પર પડી રહી છે. જુલાઈ 2019માં સરકારે કસ્ટમ ડ્યૂટી 7.5માં 2.5 ટકા વધારીને 10 ટકા કરી દીધી હતી જ્યારબાદ સોના-ચાંદીની કિંમતોમાં વધારો થયો હતો. 12.5 ટકા કસ્ટમ ડ્યૂટી પર 3 ટકા જીએસટી લાગવાને લીધે સોના-ચાંદીની કિંમતોમાં વધારો જોવા મળતો હતો.
હાલ સોના-ચાંદી બંનેનાં ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. એમસીએક્સ પર સોનુ 4 ફેબ્રુઆરીએ 46611 રુપિયાની સાત મહિનાની ન્યૂનતમ સપાટી પર પહોંચી ગયુ હતુ. ઉલ્લેખનીય છે કે, ગત આશરે એક મહિનામાં સોનાનાં ભાવમાં 2000થી 2500 રુપિયા પ્રતિ 10 ગ્રામનો ઘટાડો નોંધાયો છે.
કોરોનાકાળમાં રોકાણકારોએ સોના અને ચાંદીમાં ખૂબ રોકાણ કર્યું હતું માટે તેની કિંમતોમાં ખૂબ વધારો જોવા મળ્યો હતો. ગત વર્ષે ઓગસ્ટમાં સોનું 56,191 રુપિયા પ્રતિ દસ ગ્રામ હતું જ્યારે ચાંદી પણ 78,000 રુપિયા પ્રતિ કિલોનાં સ્તર પર પહોંચી ગયુ હતું. પરંતું હવે સોનુ તેની મૂળ કિંમતે પાછું આવશે ત્યારે જ ખરીદી નીકળે તેવો માહોલ છે લોકો સોનું ખરીદવાનું લગભગ ટાળી રહ્યા છે.
Saturday, May 18