મહિલા ખેલાડીઓની સતામણી મામલે સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ આંદોલન કરી રહેલા કુસ્તીબાજોએ તેમના મેડલ ગંગામાં વહેવડાવવાની જાહેરાત કરી છે. બજરંગ પુનિયા, વિનેશ ફોગાટ અને સાક્ષી મલિક પોતાના મેડલ ગંગામાં વહેવા માટે હરિદ્વાર પહોચ્યા હતા.
ખેલાડીઓ તેમના મેડલ લઈને માલવિયા ઘાટ પાસે બેસી ગયા.
આ પહેલા કુસ્તીબાજો હાથમાં મેડલ લઈને રડી પડ્યા હતા.
કુસ્તીબાજોને ભાવુક જોઈને આસપાસના ઘણા લોકોની આંખો પણ ભીની થઈ ગઈ.
આ સમયે ભાજપના નેતા બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ પણ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.
આંદોલનકારી કુસ્તીબાજોના સમર્થનમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો પણ હરિદ્વાર પહોંચ્યા છે. તે જ સમયે, કુસ્તીબાજો પહોંચતાની સાથે જ હરકી પૈડી પર લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી.
ખેલાડીઓએ કહ્યું કે મેડલ અમારો જીવ છે અમારો આત્મા છે તે ગંગામાં વહી જશે પછી અમારા જીવનનો કોઈ અર્થ નહીં રહે.
અમે ઈન્ડિયા ગેટ પર આમરણાંત ઉપવાસ પર બેસીશું.
કુસ્તીબાજોએ કહ્યું કે તેઓ અંદરથી અનુભવી રહ્યા છે કે આ દેશમાં અમારું કંઈ બચ્યું નથી.
અમે તે ક્ષણોને યાદ કરીએ છીએ જ્યારે અમે ઓલિમ્પિક્સ, વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મેડલ જીત્યા હતા.
હવે લાગે છે કે અમે તે કેમ જીત્યા ?
તેમણે કહ્યું કે અમે આ મેડલ ગંગામાં વહેડાવી રહ્યા છીએ. કારણ કે તે ગંગા મા છે.
આ ચંદ્રકો સમગ્ર રાષ્ટ્ર માટે પવિત્ર છે અને આ પવિત્ર પદક રાખવાનું યોગ્ય સ્થાન હોય તો તે પવિત્ર માતા ગંગા જ હોઈ શકે છે.