હવે, દિલ્હીના CM અરવિંદ કેજરીવાલને CBIનું તેડું આવ્યું છે અને કેન્દ્રીય એજન્સી દ્વારા નોટીશ આપી દારૂ કૌભાંડ મામલે પૂછતાછ કરવામાં આવનાર છે.
દારૂ કૌભાંડ મામલે હવે દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની CBIએ પૂછપરછ કરનાર છે.
આ માટે તેઓને નોટિસ મોકલી આપવામાં આવી છે.
કેન્દ્રીય એજન્સી CBIએ અરવિંદ કેજરીવાલને તા.16 એપ્રિલ રવિવાર નાં રોજ પૂછપરછ માટે બોલાવ્યાં છે.
મહત્વનુ છે કે હાલમાં જ નવી લીકર પોલિસીનાં મામલામાં CBIએ દિલ્હીનાં પૂર્વ ડેપ્યૂટી CM મનીષ સિસોદિયાને 26 ફેબ્રુઆરીનાં રોજ કસ્ટડીમાં લીધા હતા.
હવે CBI કેજરીવાલની દારુ કૌભાંડ મામલે પૂછપરછ કરશે.