નવી દિલ્હી: દક્ષિણ આફ્રિકામાં જોવા મળતા કોરોનાના નવા પ્રકારે દુનિયાને ચિંતામાં મૂકી દીધી છે. ભારતમાં પણ સાવચેતી રાખવામાં આવી રહી છે. આ દરમિયાન છેલ્લા ત્રણ દિવસમાં ઓમિક્રોન વેરિઅન્ટના 12 શંકાસ્પદ લોકોને દિલ્હીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ તમામ ઈન્ટરનેશનલ ફ્લાઈટ દ્વારા ભારત આવ્યા હતા. તેમના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે કે આ લોકો કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનથી સંક્રમિત છે કે નહીં. તમામ લોકોને દિલ્હીની લોક નાયક જય પ્રકાશ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
એલએનજેપી હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર સુરેશ કુમારે જણાવ્યું હતું કે દાખલ કરાયેલા લોકોમાંથી ચાર યુકેના અને ચાર ફ્રાન્સના છે. કેટલાક લોકો તાન્ઝાનિયાના છે જ્યારે એક વ્યક્તિ બેલ્જિયમનો છે. તેમની હાલત હવે સ્થિર છે. માત્ર એક વ્યક્તિને તાવ છે. તેમણે કહ્યું કે સેમ્પલ જીનોમ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા છે. તેમને ઓમિક્રોનથી ચેપ લાગ્યો છે કે નહીં, તે પાંચ કે છ દિવસમાં જાણી શકાશે.
ઉલ્લેખનિય છે કે ભારતમાં અત્યાર સુધીમાં નવા વેરિઅન્ટ ઓમિક્રોનના બે કેસની પુષ્ટિ થઈ છે. આ બંને કિસ્સા કર્ણાટકમાં જોવા મળ્યા છે. તેમાંથી એક બેંગ્લોરના 46 વર્ષીય ડોક્ટર છે. તેને રસીના બંને ડોઝ મળ્યા હતા. 21 નવેમ્બરના રોજ તેને તાવ અને શરીરમાં દુખાવાના લક્ષણો જોવા મળ્યા હતા. બીજો વ્યક્તિ 66 વર્ષીય દક્ષિણ આફ્રિકાનો નાગરિક છે,