દેશ આઝાદ થયા બાદ મથુરાની જેલમાં મહિલાને ફાંસી આપવાની પ્રથમ ઘટના બનવા જઈ રહી છે અહીં પોતાના પરિવાર ના સાત સભ્યો ની હત્યા કરનાર શબનમ ને ફાંસી આપવામાં આવશે. એપ્રિલ 2008માં સબનમે તેના પ્રેમી સલીમની સાથે મળીને પોતાના જ પરિવારના 7 સભ્યોની કુહાડી ના ઘા ઝીંકી ઘાતકી હત્યા કરી હતી.
નિર્ભયા કાંડના દોષીઓને ફાંસી પર લટકાવનાર પવન જલ્લાદે મથુરા ના ફાંસી ઘરની મુલાકાત પણ લીધી છે. જોકે ફાસીની તારીખ હજી સુધી નક્કી કરવામાં આવી નથી. જો શબનમે ફાંસી થાય છે તો આ આઝાદ ભારતનો પ્રથમ મામલો હશે.
જોકે દોષિત શબનમે સુપ્રીમ કોર્ટના ચુકાદાને પડકાર્યો હતો. જ્યાં સુપ્રીમ કોર્ટ નીચલી કોર્ટના ચુકાદાને યથાવત રાખ્યો છે. તે પછી શબનમ-સલીમે રાષ્ટ્રપતિને દયા અરજી મોકલી હતી. જોકે રાષ્ટ્રપતિ ભવને તેની અરજીને ફગાવી દીધી. આઝાદી પછી શબનમ પ્રથમ મહિલા કેદી હશે જેની ફાંસી આપવામાં આવશે. દેશમાં માત્ર મથુરા જેલનું ફાંસી ઘર એક માત્ર છે જ્યાં મહિલાને ફાંસી આપી શકાય છે. હાલ શબનમ બરેલી જ્યારે સલીમ આગ્રા જેલમાં છે.
મથુરા જેલમાં 150 વર્ષ પહેલા મહિલા ફાંસીઘર બનાવવામાં આવ્યું હતું. આઝાદી પછી અત્યાર સુધીમાં અહીં કોઈ પણ મહિલાને ફાંસીએ લટકાવવામાં આવી નથી. વરિષ્ઠ જેલ અધીક્ષકના જણાવ્યા મુજબ હાલ ફાંસીની તારીખ નક્કી કરવામાં આવી નથી. જોકે અમે તૈયારી શરૂ કરી દીધી છે. દોરડા માટે ઓર્ડર આપવામાં આવ્યો છે. ડેથ વોરન્ટ ઈસ્યુ થતા જ શબનમ-સલીમને ફાંસ આપવામાં આવશે. જોકે સલીમને ફાંસી ક્યાં આપવામાં આવશે તે હજી નક્કી કરવામાં આવ્યું નથી.
અમરોહાના ગામ બાવનખેડીમાં વર્ષ 2008ની 14-15 એપ્રિલ દરમિયાન શબનમે રાતે પોતાના પ્રેમી સલીમની સાથે મળીને પોતાના પિતા માસ્ટર શૌકત, માં હાશમી, ભાઈ અનીસ અને રશિદ, ભાભી અંજુમ અને પિતરાઈ બહેન રાબિયાની કુહાડીથી કત્લ કરી દીધી હતી. ભત્રીજા અર્શનું ગળુ દબીને હત્યા કરી દીધી હતી કારણ કે તેઓ આ પ્રેમ સબંધો ના વિરોધ માં હતા.