શનિવારે આસામ એનઆરસીની અંતિમ સૂચિ જાહેર કરવામાં આવી છે. 19 લાખ, 6 હજાર 667 લોકોને આ યાદીમાં સામેલ કરી શકાયા નથી. એનઆરસીના સ્ટેટ કોઓર્ડિનેટર પ્રતીક હાજેલાએ જણાવ્યું હતું કે એનઆરસીની અંતિમ સૂચિમાં 3 કરોડ, 11 લાખ 21 હજાર લોકો સ્થાન મેળવ્યું છે અને 19,06,657 લોકો તેમાંની બહાર છે. ચાલો તમને જણાવીએ કે સૂચિમાં શામેલ ન હોય તેવા લોકો મઅતે કયો વિકલ્પ બાકી છે. જે લોકો એનઆરસીમાં નામના અભાવથી પરેશાન છે, તેઓ ફોરેનર્સ ટ્રિબ્યુનલને 120 દિવસમાં અપીલ કરી શકે છે. જેમને અંતિમ રાષ્ટ્રીય સિવિલ રજિસ્ટર (એનઆરસી) માંથી બાકાત રાખવામાં આવ્યા છે તેવા લોકોના કેસોની કાર્યવાહી કરવા માટે આસામ સરકાર રાજ્યમાં 400 વિદેશી ટ્રિબ્યુનલ્સની સ્થાપના કરશે.
મુખ્ય સચિવ કુમાર સંજય કૃષ્ણાએ કહ્યું કે આવા 200 ટ્રિબ્યુનલ્સની સ્થાપનાની પ્રક્રિયા પહેલાથી જ ચાલુ છે. આ ઉપરાંત આ યાદીમાંથી બાકાત રાખવામાં આવેલા લોકો માટે 200 અન્ય ટ્રિબ્યુનલ્સ બનાવવામાં આવશે. ફોરેનર્સ ટ્રિબ્યુનલ એ અર્ધ-ન્યાયિક અદાલતો છે જેમને સૂચિમાંથી બાકાત રાખવામાં આવનારની સુનાવણી થશે. આસામ એનઆરસીની અંતિમ સૂચિ www.nrcaasam.nic.in પર જોઇ શકાય છે. સિટિઝન્સનું નેશનલ રજિસ્ટર એ ભારતમાં નાગરિકત્વની ચકાસણી કરવાની સૌથી મોટી પ્રક્રિયા છે. તેનો હેતુ એવા લોકોની ઓળખ કરવાનો છે કે જેમણે અસમમાં ઘૂસણખોરી કરી (ખાસ કરીને બાંગ્લાદેશથી) ત્યાં રહેવા લાગ્યા હોય. આમ આસામ સરકારે 30 જૂન 2018 ના રોજ એનઆરસીનો બીજો ડ્રાફ્ટ બહાર પાડ્યો હતો. ત્યારે 40 લાખ લોકોને આ યાદીમાંથી બાકાત રાખવામાં આવ્યા હતા. અંતિમ સૂચિમાં આ આંકડો 19 લાખ પર આવી ગયો છે.