નવી દિલ્હી : કોરોના સંકટ વચ્ચે રેલ્વે 1 જૂન, સોમવારથી 200 ટ્રેનો ચલાવશે. આ અંગે રવિવારે રેલવે દ્વારા માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. રેલ્વેએ રવિવારે જણાવ્યું હતું કે, 200 સ્પેશિયલ ટ્રેનો 1 જૂનથી કાર્યરત થશે અને પહેલા દિવસે 1.45 લાખથી વધુ મુસાફરો મુસાફરી કરશે. રેલવેએ જણાવ્યું હતું કે 1 જૂનથી 30 જૂન દરમિયાન લગભગ 26 લાખ મુસાફરોએ વિશેષ ટ્રેનો દ્વારા મુસાફરી માટે ટિકિટ બુક કરાવી છે. આ સેવાઓ 12 મેથી કાર્યરત થઇ છે મજૂર વિશેષ ટ્રેનો અને 30 એરકંડિશન્ડ ટ્રેનો ઉપરાંત છે.
રેલ્વેએ જણાવ્યું હતું કે, મુસાફરોએ પ્રસ્થાનના ઓછામાં ઓછા 90 મિનિટ પહેલાં સ્ટેશન પર પહોંચવું આવશ્યક છે અને જેની કન્ફ્રર્મ કરી છે અથવા આરએસી ટિકિટ આપી છે તે જ સ્ટેશન પર પ્રવેશ કરશે અને ટ્રેનોમાં ચઢશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય (એમએચએ) ની માર્ગદર્શિકા મુજબ મુસાફરોને ફરજિયાત ટેસ્ટ કરાવવો પડશે, ફક્ત લક્ષણો વગરના લોકોને જ ટ્રેનોમાં પ્રવેશવા અથવા ચઢવા દેવામાં આવશે.